પીસીઆર તપાસમાં કોરોના પોઝિટિવ મળ્યા બાદ લોકોમાં માનસિક બિમારી, થાક તથા અનિદ્રાનો ખતરો વધે છે.
કોરોનામાંથી સાજા થનારા લોકોમાં માનસિક બિમારી, થાક તથા અનિદ્રાનો ખતરો વધે છે
થાકની સમસ્યાવાળા લોકોની સંખ્યામાં 6 ગણો વધારો થયો
લોકોમાં અનિદ્રાની સમસ્યામાં ત્રણ ગણો વધારો
કોરોનામાંથી સાજા થનારા લોકોમાં માનસિક બિમારી, થાક તથા અનિદ્રાનો ખતરો વધે છે
ગત 2 વર્ષથી આખી દુનિયામાં કોરોનાને લઈને અનેક દેશોમાં શોધ જારી છે. કોરોનાની દવા શોધવાની સાથે જ વૈજ્ઞાનિક તેનાથી ઉભરી ચૂકેલા લોકોના સ્વાસ્થ્યના ફેરફારને લઈને સ્ટડી રહી રહ્યા છે. હવે બ્રિટનમાં થયેલા એક અભ્યાસમાં એ વાત સામે આવી છે કે પીસીઆર તપાસમાં કોરોના પોઝિટિવ મળ્યા બાદ લોકોમાં માનસિક બિમારી, થાક તથા અનિદ્રાનો ખતરો વધે છે. યૂનિવર્સિટી ઓફ મેનચેસ્ટરના રિસર્ચે દેશમાં ફેબ્રુઆરીમાં ડિસેમ્બર 2020ની વચ્ચે કોરોના સંક્રમિત થયેલા 2,26,521 લોકોના સ્વાસ્થ્ય સંબંધી રિકોર્ડનું વિશ્લેષણ કર્યુ.
થાકની સમસ્યાવાળા લોકોની સંખ્યામાં 6 ગણો વધારો થયો
જર્નલ ઓફ અમેરિકન મેડિકલ અસોશિએશન એટલે કે જમાં નેટવર્ક ઓપનમાં પ્રકાશિત આ સ્ટડીનું નિષ્કર્ષ જણાવ્યું છે કે ડાક્ટરોની પાસે થાકની સમસ્યાને લઈને આવનારા લોકોની સંખ્યામાં 6 ગણો વધારો થયો છે. જે પાલીમરેજ ચેન રિએક્શન (PCR) તપાસમાં કોવિડ પોઝિટિવ મળ્યા હતા.
લોકોમાં અનિદ્રાની સમસ્યામાં ત્રણ ગણો વધારો
બીન સંક્રમિત લોકોની સરખામણીમાં કોરોના પોઝિટિવ જોવા મળ્યા. લોકોમાં અનિદ્રાની સમસ્યામાં ત્રણ ગણો વધારો થયો છે. એવા લોકો પણ ડોક્ટરોની પાસે પહોંચ્યા જેને પહેલા ક્યારેય આવી ફરિયાદ નહોંતી.
સ્ટડીમાં શું નિકળ્યું
PCR તપાસમાં કોરોના પોઝિટિવ જોવા મળ્યા બાદ 83 ટકા લોકોની માનસિક બિમારની જટિલતાઓમાં વધારો થયો છે. જોકે શોધકર્તાઓની સમસ્યા છે કે કેમ કોવિડ -19 સીધી રીતે માનસિક બિમારી પેદા કરી રહી છે. એવું શક્ય બની શકે છે કેમ કે મહામારીની કારણથી માનસિક તમાવ વધી રહ્યો છે.
યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરના ડો. મૈથિયાસ પિયર્સ કહે છે કે થાક તો સીધી રીતે કોરોનાનું પરિણામ છે. અને આ બિમારીમાં અનિંદ્રાનું સંકટ વધારે છે. ઉલ્લેખનીય છે કે આની પહેલા પણ સ્ટડીમાં સામે આવ્યું હતુ કે ઉંઘ સંબંધી બિમારીથી ગ્રસ્ત બિમારીમં કોરોના સંક્રમણ ઘાતક હોઈ શકે છે.