રાજકોટ: રાજ્યમાં આ વર્ષે વરસાદ ઓછો થવાના કારણે જળ સંકટ થવાની શક્યતા છે. ઉનાળામાં સૌરાષ્ટ્ર-કચ્છમાં જળ સંકટ થાય તેવી શક્યતા છે. હાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છના 120 જળાશયોમાં પાણીનું સ્તર તળિયે ઓછુ થયું છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા શેત્રંજી અને ભાદર ડેમમાં માત્ર 12 ટકા પાણી બાકી રહ્યુ છે.
રાજકોટ જિલ્લાના 28 જળાશયોમાંથી 24 જળાશયોના તળિયા દેખાઈ રહ્યા છે. રાજકોટ, જૂનાગઢ, પોરબંદરના ડેમોમાં માત્ર 10 ટકા જ પાણી બાકી રહ્યુ છે અને જામનગર, અમરેલીના ડેમોમાં માત્ર 10 ટકા જ પાણી બચ્યું છે. ડેમોમાં પાણી ઓછું હોવાના કારણે આગામી દિવસોમાં પાણી ઓછુ થવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી શકે છે.
આપને જણાવી દઇએ કે, રાજ્યના અનેક જળાશયોમાં 10 ટકાથી ઓછું જળસ્તર છે. કચ્છના જળાશયોમાં માત્ર 11.42 ટકા જ જળસ્તર છે. રાજ્યમાં 14 જળાશયોમાં જ 90 ટકા કરતા વધુ પાણી છે. જ્યારે 13 જળાશયોમાં 80 90 ટકા પાણી, 10 જળાશયોમાં 70થી 80 ટકા પાણી અને 166 જળાશયોમાં 70 ટકાથી પણ ઓછું પાણી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના 166 ડેમોમાં 70 ટકા કરતાંય ઓછું પાણી રહ્યુ છે જયારે 34 ડેમોમાં તો પાણીના તળિયા દેખાઇ રહ્યાં છે કેમકે,માત્ર દસ ટકા કરતાંય ઓછુ પાણી બચ્યું છે. નર્મદાડેમમાં પાણીનો જથ્થો અમુક અંશે જ વધવા પામેલ છે, તો આ તરફ સૌરાષ્ટ્ર,કચ્છમાં ડેમો તળિયાઝાટક, ડેમો સૂકાતા જાય છે અને પ્રજા પણ પાણી માટે પોકાર કરી રહી છે.