નાગરિકતા સંશોધન કાયદાને લઇને થયેલ હિંસા બાદ ધીરે ધીરે પરિસ્થિતિ સામાન્ય બની રહી છે. પરંતુ એક વાર ફરી કેટલાક જિલ્લાઓમાં ઇન્ટરનેટ બંધ કરવામાં આવી રહ્યું છે. જોકે, 27 ડિસેમ્બરે જુમ્માની નમાઝ હશે અને આ જુમ્માની નમાઝને જોતા સંવેદનશીલ જિલ્લાઓમાં તંત્રએ પહેલાથી જ સાવચેતીના ભાગરૂપે ઇન્ટરનેટ બંધ કરવાનું એલાન કરી દીધું છે. મહત્વનું છે કે, જુમ્માની નમાજ પહેલા તંત્ર અલર્ટ થયું છે, ગોરખપુરમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે અને અર્ધ સૈનિક દળ દ્વારા ફ્લેગમાર્ચ યોજાઇ હતી.
CAA હિંસક પ્રદર્શન દરમિયાન 19ના મોત
327 ફરિયાદ, 1113ની ધરપકડ
DGPએ કહ્યું- SIT કરશે તપાસ
કેટલાક જિલ્લાઓમાં ઇન્ટરનેટ બંધ છે, જેમાં સહારનપુર, મેરઠ, આગરા, બુલંદશહેર અને બિજનૌર છે. અહીં આજથી જ ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. રાજ્યના તંત્રએ તમામ જિલ્લાઓના ડીએમ આ છૂટ આપી રાખી છે, જો મામલો સંવેદનશીલ અને સાંપ્રદાયિક તણાવની સંભાવના છે તો સાવચેતીના ભાગરૂપે આ વિસ્તારોમાં ઇન્ટરનેટ બંધ કરી શકો છો.
હિંસક પ્રદર્શન ન થાય તે માટે સરકાર સતર્ક
તંત્રના જણાવ્યા અનુસાર, હાલ પરિસ્થિતિ સામાન્ય છે. કલમ 144 લાગે છે, પરંતુ સાવચેતીના ભાગરૂપે ફરીથી હિંસક પ્રદર્શન ન થઇ શકે.
ઉત્તરપ્રદેશમાં CAA કાયદાના વિરોધમાં ફાટી નીકળી હતી હિંસા
ઉત્તરપ્રદેશમાં નાગરિકતા કાયદા વિરૂદ્ધ ચાલી રહેલ પ્રદર્શન દરમિયાન ફેલાયલ હિંસામાં 19 લોકોના મોત થયા છે. હિંસક પ્રદર્શનના મામલે તંત્ર તરફથી 327 FIR દાખલ કરવામાં આવી છે. જ્યારે 1113ની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે હવે પ્રદેશ પોલીસ અધિકારી ઓપી સિંહે જણાવ્યું હતું કે મામલાની તપાસ SIT કરશે.
પ્રદર્શન દરમિયાન હિંસા ફેલાવનાર ઉપદ્રવીઓને શોધીને તેમને નોટિસ મોકલવામાં આવી રહી છે અને તેમની ધરપકડ પણ ચાલી રહી છે અને સંપત્તિને નુકસાનનું આંકલન કરવામાં આવી રહ્યું છે.
હિંસક પ્રદર્શનકારી 26ને નોટિસ જાહેર
સંભલમાં પોલીસે નાગરિકતા કાયદાના વિરોધમાં થયેલ હિંસક પ્રદર્શનોમાં 26 લોકોને શોધીને નોટિસ જાહેર કરવામાં આવી છે. પોલીસ અધીક્ષક યમુના પ્રસાદે ગુરૂવારે જણાવ્યું હતું કે 55 ઉપદ્રવિઓને શોધી લેવામાં આવ્યા છે અને 150 ઉપદ્રવિઓના પોસ્ટર જાહેર કરવામાં આવ્યા છે અને આ શખ્સોની ઓળખ જણાવવા માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.
કમલેશ અવસ્થીએ જણાવ્યું કે છેલ્લા દિવસોમાં સંભલમાં થયેલ ઘટનામાં સરકારી સંપત્તિના નુકસાન થયું છે. અત્યાર સુધીમાં 26 લોકોને પસંદ કરીને તેમણે નોટિસ જાહેર કરવામાં આવી છે. જો તે લોકો આની ભરપાઇ ન કરી શકે તો તેની સંપત્તિ જપ્ત કરવામાં આવશે.
પોલીસ અધિકારીએ હિંસાના સંબંધમાં પત્રકારોને જણાવ્યું હતું કે, અત્યાર સુધી 55 લોકોને પસંદ કરવામાં આવ્યા છે જ્યારે દોઢ સો લોકોને પોસ્ટર જાહેર કરવામાં આવ્યા છે, જેમણે હિંસા અને ફાયરિંગ કર્યું હતું. અત્યાર સુધીમાં આ ઘટનામાં 48 લોકોની ધરપકડ કરવામાં આવી છે.