કોરોના મહામારી વચ્ચે ઉત્તર પ્રદેશના મંત્રી મંડળમાં ઘણો મોટો બદલાવ આવે તેવા એંધાણ આવી રહ્યા છે
આ પાછળ ઘણા બધા કારણોને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે
નવા નાયબ મુખ્યમંત્રી બનાવવાની ચર્ચા
બીજા મંત્રી મંડળ વિશે વિચારણા
આ પાછળ ઘણા બધા કારણોને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે
છેલ્લા ઘણા દિવસથી યોગી સરકાર અને ભાજપ પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફાર થવાની વાતો ચાલી રહી હતી. જેમાં ઉત્તર પ્રદેશના મંત્રી મંડળમાં ઘણો મોટો બદલાવ આવે તેવા એંધાણ આવી રહ્યા છે. હવે આ વાત ધીમે ધીમે સાબિત થઈ રહી છે. આ પાછળ ઘણા બધા કારણોને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે. આ સાથે સાથે પ્રદેશ રાજ્યપાલ આનંદીબેન પટેલ હવે મધ્યપ્રદેશથી નીકળીને લખનઉ પહોંચી ગયા છે. જાણકારી અનુસાર હવે તેઓ લખનઉમાં અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે. ગુરુવારે સાંજે તેમની મુલાકાત CM યોગી આદિત્યનાથ સાથે પણ થઈ શકે છે.
રાજયપાલની મધ્યપ્રદેશની મુલાકાત અટકી ગયા બાદ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે યોગી સરકારના બીજા મંત્રી મંડળ માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કારણકે રાજ્યપાલ 15 દિવસથી મધ્યપ્રદેશમાં હતા, પણ અચાનક જ લખનઉ જતાં આ વાતે વેગ પકડી લીધો છે કે હવે પ્રદેશ કેબિનેટ ફરી 28 કે 29 મે એ બેઠક કરશે.
નવા નાયબ મુખ્યમંત્રી બનાવવાની ચર્ચા
છેલ્લા ઘણા દિવસથી મીડિયામાં આ વાતે જોર પકડયું છે કે યોગી સરકારમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ નવા ઉપમુખ્યમંત્રી મળી શકે છે. એવું માનવામાં આવે છે કે IAS એ કે શર્માને આ પદ પર લાવવામાં આવશે. સાથે જ કેશવ પ્રસાદ મૌર્યને ભાજપની કમાન સોંપી OBC ચહેરા સાથે ચૂંટણીમાં ઉતરશે.
બીજા મંત્રી મંડળ વિશે વિચારણા
અચરજની વાત એ છે કે 2017 માં સરકાર ગઠન પછી 2019 માં યોગી સરકારે પોતાનું મંત્રી મંડળ મોટું કર્યું હતું. તે સમયે તેમનું મંત્રીમંડળમાં 56 સભ્યો હતા. તેમાં પણ કોરોનાના લીધે ત્રણ મંત્રીઓના મૃત્યુ થયા હતા. જેમાં વિજય કુમાર, ચેતન ચૌહાણ અને કમલા રાનીનો સમાવેશ થાય છે. નિયમ અનુસાર મંત્રી મંડળમાં તેઓ 60 સભ્યો રાખી શકે છે. પહેલા મંત્રી મંડળમાં 6 સ્વતંત્ર કેબિનેટ મંત્રીઓને સામેલ કર્યા હતા, ત્યારબાદ બીજા નવા ત્રણ ચહેરા સાથે 6 મંત્રીઓને સામેલ કર્યા હતા. સાથે જ 11 વિધાયકને પણ સામેલ કર્યા હતા.