ભારતની ક્રિકેટ ટીમ IPL સમાપ્ત થાય તે બાદ ઓસ્ટ્રેલીયાના પ્રવાસ પર છે જ્યાં કોરોનાકાળ બાદ પહેલીવાર આંતરરાષ્ટ્રીય મેચ રમાવાશે. આ સીરીઝ શરુ થાય તે પહેલા BCCIએ માહીને ટ્રિબ્યૂટ આપ્યું છે.
માહીના સંન્યાસ બાદ પહેલીવાર કોઈ સીરીઝ રમાશે
BCCIએ માહીને આપ્યું ખાસ ટ્રિબ્યૂટ
BCCIએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર માહીની તસવીર કવર પિક્ચરમાં લગાવી
ભારતીય ક્રિકેટ ટીમ કોરોના વાયરસ મહામારી શરુ થઇ તે બાદથી એક પણ મેચ રમી નથી. હાલમાં જ UAEમાં આઇપીએલ ટૂર્નામેન્ટ આયોજિત કરવામાં આવ્યું છે જે હવે સમાપ્ત થવાની તૈયારીમાં છે. આઇપીએલ ખતમ થવાની સાથે જ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ ઓસ્ટ્રેલીયાની ફ્લાઈટ પકડી લેશે કારણ કે ખેલાડીઓ 69 દિવસના પ્રવાસમાં અહિયાં ત્રણેય ફોરમેટમાં સીરીઝ રમવાની છે. ધોનીના સંન્યાસ બાદ ભારતની ક્રિકેટ ટીમ માટે પહેલો ઇન્ટરનેશનલ પ્રવાસ હશે. આ અવસર પર BCCIએ પોતાના જ અંદાજમાં સફળ કેપ્ટનને ખાસ ટ્રિબ્યૂટ આપ્યું.
ભારતની ક્રિકેટ ટીમ માટે મહેન્દ્ર સિંહ ધોનીનું યોગદાન અભૂતપૂર્વ છે અને તેને ધ્યાનમાં રાખીને જ BCCIએ પોતાના ટ્વિટર એકાઉન્ટની કવર પિક્ચર પર માહીની તસવીર લગાવી છે. આ તસવીર પર લખવામાં આવ્યું છે કે થેંક યુ MS ધોની. માહીના ચાહકોને BCCIનો આ અંદાજ ખૂબ પસંદ આવી રહ્યો છે.
નોંધનીય છે કે થોડા મહિનાઓ પહેલા જ માહીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની અચાનક જ જાહેરાત કરી હતી જે બાદથી તેમના ચાહકૉ IPLની રાહ જોઈ રહ્યા હતા. જોકે IPLના આ સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સે કંઈ ખાસ પ્રદર્શન કર્યું નથી છતાં માહીની લોકપ્રિયતામાં કોઈ ઓટ આવી નથી એવું કહી શકાય.
કોરોના વાયરસના કારણે લાંબા સમયથી ભારતીય ક્રિકેટની ટીમ મેદાનથી દૂર રહી હતી પરંતુ હવે કોરોના ગાઇડલાઈનનું પાલન કરીને મેચ કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભારતની ટીમ હવે ઓસ્ટ્રેલીયા સામે ત્રણેય ફોરમેટમાં સીરીઝ રમવાની છે.