હવે જ્યારે તમે ATMમાંથી રોકડ કાઢવા માટે જાઓ અને તેમાં NO CASH લખેલુ હોય તો સમજી લેજો કે આ બેંકની ખેર નથી. રિઝર્વ બેંકે બેંકો માટે નવો આદેશ જાહેર કર્યો છે.
ATMમાં રોકડ સમાપ્ત થઈ તો બેંકોને થશે દંડ
RBIએ બેંકો માટે કર્યો નવો આદેશ
10 કલાકથી વધુ નાણાં નહીં હોય તો ભોગવવો પડશે દંડ
ખરેખર, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બેંકો અને વ્હાઈટ લેબલ ATM ઓપરેટર્સને કહ્યું છે કે તેઓ એક એવી મજબુત સિસ્ટમ તૈયાર કરે જેનાથી રોકડની પુરતી દેખરેખ અને રોકડ સમાપ્ત થવાની સ્થિતિ બચાવવા માટેના સમયે તેને પરિપૂર્ણ કરવામાં મદદરૂપ થાય.
RBIએ બેંકો માટે જાહેર કર્યો આદેશ
બેંક આ નિર્દેશનું કડકાઈપૂર્વક પાલન કરે તેના માટે રિઝર્વ બેંકે દંડ કરવાની જોગવાઈ કરી છે. RBIએ ATM ની પુન:પૂર્તિ ન કરવા પર દંડની યોજના રજૂ કરી છે. જે 1 ઓક્ટોબર, 2021થી લાગુ થશે. આ નિયમ મુજબ જે પણ બેંક અને વ્હાઈટ ATM ઓપરેટર એક નિર્ધારિત સમયથી વધારે સમય સુધી કેશ આઉટની સ્થિતિમાં રહેશે તો તેમને દંડ કરવામાં આવશે.
પ્રતિ ATM 10,000 રૂપિયા સુધી થશે દંડ
રિઝર્વ બેંકના નિર્દેશ મુજબ, કોઈ પણ એક મહિનામાં ATMમાં 10 કલાકથી વધુ સમય સુધી રોકડની અવ્યવસ્થા સર્જાશે તો સંબંધિત બેંકોને આ દંડ ભોગવવો પડશે. આ વ્યવસ્થા 1 ઓક્ટોબર 2021થી લાગુ થશે. RBIએ જાહેર કરેલા નિર્દેશમાં કહ્યું કે, ATM માં રોકડ નહીં નાખવાથી લઈને દંડ લગાવવાની વ્યવસ્થાનો હેતુ એ નક્કી કરવાનો છે કે, લોકોની સુવિધા માટે ATMમાં પર્યાપ્ત નાણાં રહે. RBIએ કહ્યું કે, જો એક નક્કી કરેલા સમય સુધી ATMમાં રોકડ રહેતી નથી તો બેંકો પર પ્રતિ ATM 10,000 રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે.
આ છે રિઝર્વ બેંકનો આદેશ
રિઝર્વ બેંકના આદેશ મુજબ, જ્યાં સુધી વ્હાઈટ લેબલ ATM ની વાત છે તો આ મામલે દંડ એવી બેંકોને પર લગાવવામાં આવશે, જે આ સંબંધિત ATM માં રોકડની સપ્લાયને પૂર્ણ કરી શકે છે. વ્હાઈટ લેબલ ATM નું સંચાલન નોન-બેન્કિંગ સંસ્થાઓ કરે છે. બેંક વ્હાઈટ લેબલ ATM ઓપરેટર તરફથી દંડની રકમ વસુલી શકે છે.