દેશની રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા આ વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બરની વચ્ચે કુલ 958 અરબ રૂપિયાના કૌભાંડની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે રાજ્યસભામાં પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં આ અંગેની જાણકારી આપી હતી.
છ મહીનામાં કૌભાંડ તેમજ છેતરપિંડીની 5743 ફરિયાદ દાખલ
નાણા મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યો રિપોર્ટ
ભારતીય સ્ટેટ બેંકમાં સૌથી વધારે કૌભાંડની ફરિયાદ થઇ
નાણા મંત્રીએ રાજ્ય સભામાં જણાવ્યું કે સરકારી બેંકોએ છ મહીનાના અંતરાલમાં કૌભાંડ તેમજ છેતરપિંડીની 5743 ફરિયાદ દાખલ કરાઇ, જેમાં સૌથી વધારે મામલાઓ ગત વર્ષમાં થયેલ ગડબડીના છે. નાણા મંત્રીના જણાવ્યા અનુસાર આ વર્ષે 1000 મામલામાં 25 અરબ રૂપિયાનું કૌભાંડ થયું છે.
નાણા મંત્રીના જણાવ્યા મુજબ ભારતીય સ્ટેટ બેંકમાં સૌથી વધારે 254 અરબ રૂપિયાના કૌભાંડની ફરિયાદ થઇ છે, જ્યારે પંજાબ નેશનલ બેંકમાં 108 અરબ રૂપિયા અને બેંક ઓફ બરોડામાં 83 અરબ રૂપિયાની છેતરપિંડી અંગેની જાણકારી દેવામાં આવી છે.
બેંકરોએ આ માટે લચર નિયમ અને બેંક અધિકારીઓના દગાખોરો સાથેની મિલીભગને જવાબદાર ઠેરવ્યાં છે. પરંતુ નાણા મંત્રીએ કહ્યું કે સરકાર બેંકોના નુકસાનને પૂરો કરવાનો પ્રયત્ન કરી રહી છે.
નાણા મંત્રીએ કહ્યું કે ગત બે વર્ષમાં નિષ્ક્રિય થઇ ગયેલી કંપનીઓના 3.38 લાખ બેંક ખાતાઓને ફ્રીઝ કરી દેવામાં આવ્યાં છે. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેતૃત્વમાં સરકારે 2016માં એક નાદારીને લગતો કાયદો તેમજ ભાગેડુ આર્થિક અપરાધી કાનૂનને પસાર કર્યું છે.
અધિકારીઓની મિલીભગત PNB પર સૌથી વધારે ભારે પડી
દેશના સૌથી મોટી સરકારી બેંક PNB એ પોતાના અધિકારી તેમજ કર્મચારીની મીલિભગતનું સૌથી વધારે નુકસાન ઉઠાવ્યું છે. જેને લઇને PNBને અંદાજે 14 હજાર કરોડ રૂપિયાનું નુકસાન ઉઠાવ્યું પડ્યું હતું.