હવે જો તમારા બેન્ક ખાતામાં ઝીરો બેલેન્સ હશે તો તમને ડેબિટકાર્ડ મળશે નહીં. બેન્કોએ નિષ્ક્રિય પડેલાં ખાતાંઓ માટે આપોઆપ ડેબિટકાર્ડ ઈશ્યૂ કરવાનું બંધ કરી દીધું છે, જોકે ગ્રાહક બેન્ક પાસેથી કાર્ડ માગશે તો તેને આપવામાં આવશે, પરંતુ ખોટો ખર્ચ ઘટાડવાના હેતુથી આવું કરવામાં આવ્યું છે.
ઝીરો બેલેન્સ ધરાવતાં નિષ્ક્રિય ખાતા માટે બેંકોએ લીધું આ પગલું
નિષ્ક્રિય ખાતાઓને સેવા ઉપલબ્ધિ બંધ કરાશે
આવા ખાતાં માટે ડેબિટકાર્ડ ઇશ્યૂ કરવાનું બંધ કરાશે
નાણાકીય સેવાઓ ઉપલબ્ધ કરનાર કંપની એફઆઇએસ ગ્લોબલના સીઆરઓ ભરત પંચાલ જણાવે છે કે નિષ્ક્રિય ખાતાઓને સેવાઓ ઉપલબ્ધ કરાવતા રહેવું એ બેન્કો માટે ફાયદાકારક નથી.
નાથી મની લોન્ડરિંગ જેવા ફ્રોડનું જોખમ વધે છે અને ખાતાના મેન્ટેનન્સનો ખર્ચ આવે. એટલે બેન્કોએ આવાં ખાતાં માટે ડેબિટકાર્ડ ઇશ્યૂ કરવાનું બંધ કરી દીધું છે. બેન્કોનાં ખાતાં નિષ્ક્રિય કેમ રહે છે? તેવા પ્રશ્નનો જવાબ આપતા તેમણે જણાવ્યું કે આ માટે પગારદાર પ્રોફેશનલ્સ દ્વારા નોકરી બદલવાનું એક કારણ જણાવે છે.
કેમ કે શહેરમાં યુવાનો વારંવાર નોકરી બદલીને ઝીરો બેલેન્સ સેલરી એકાઉન્ટને ત્યાર બાદ ઓપરેટ કરતા નથી, કેમ કે બીજી બેન્કમાં સેલરી એકાઉન્ટ ખૂલી જાય છે. તેનાથી ડેબિટકાર્ડની સંખ્યામાં ઝડપથી ઘટાડો થાત, પરંતુ જન ધન એકાઉન્ટના કારણે ગ્રામીણ વિસ્તારોમાં ડેબિટકાર્ડની સંખ્યા વધી રહી છે.