નાણાપ્રધાન નિર્મલા સિતારમણે બજેટમાં IDBI સિવાય બીજી બે બેઁકને સરકારી બેઁકને પ્રાઇવેટ કરી દેવાનું એલાન કર્યુ હતુ.
મહત્વના કામ હોય તો 11 માર્ચ પહેલા કરી લેજો
નિર્મલા સિતારમણના નિર્ણયથી નારાજ કર્મચારીઓ
SBIને પણ આ હળતાળથી પડશે ફટકો
આ નિર્ણયનો બેઁક અધિકારીઓ વિરોધ કરી રહ્યાં છે. યુનિયનના લોકોએ 2 અઠવાડીયા બેઁક બંધ રાખવાનું એલાન કર્યુ છે. એવામાં જો તમારે બેઁક સાથે જોડાયેલા કામ માટે બેઁકમાં જવુ છે તો જાણી લો કે ક્યા દિવસે બેઁક બંધ રહેશે.
આવનારા 9 દિવસોમાં 5 દિવસ બેઁક બંધ રહેશે. આ અઠવાડિયે 11 તારીખે ગુરુવારે શિવરાત્રીના કારણે બેઁકમાં રજા રહેશે. 12 તારીખે શુક્રવારે બેંક ખુલશે અને 13 તારીખે બીજો શનિવાર અને 15 તારીખે રવિવારની રજા રહેશે. આ પછી 15 અને 16 માર્ચે બેંક હડતાળના કારણે પણ બેઁક બંધ રહેશે.
દેશની સૌથી મોટી બેઁક સ્ટેટ બેઁક ઓફ ઇન્ડિયાન કામકાજ પર આ બેઁક હળતાળની અસર દેખાશે. બેઁકને સ્ટોક એક્સચેન્જને આપેલ જાણકારીમાં કહ્યું છે કે બેઁક કર્મચારીઓની આ હળતાળની અસર કામકાજ પર પડી શકે છે. કારણકે બેઁક યુનિયને દેશવ્યાપી હળતાળ કરી છે
કર્મચારીઓની આ હળતાળથી ગ્રાહકોને પણ પરેશની થઇ શકે છે. સતત 4 દિવસ બેઁક બંધ રહેશે જેથી કેટલાક અરજન્ટ કામમાં પણ વિલંબ થઇ શકે છે. તમે પણ આ દિવસો પહેલા જ તમારા તમામ કામ પ્લાન કરી લો જેથી તમને વધારે સમય ન લાગે અને મુશ્કેલી પણ ન રહે. જો કે આ દિવસોમાં તમે ઓનલાઈન ટ્રાન્સફરની મદદ લઈ શકો છો. તેનાથી તમારું અરજન્ટ કામ અટકશે નહીં.
તમારા બધા જ કામ 11 માર્ચ પહેલા પતાવી લેજો. કારણકે 11 થી 16 માર્ચ વચ્ચે માત્ર એક દિવસ 12માર્ચના રોજ બેઁકમાં સંપૂર્ણ કામ થશે કારણકે 11 માર્ચે શિવરાત્રિનો પર્વ છે અને જેથી ત્યાં રજા રહેશે. દિલ્હીમાં બેઁક ખુલ્લી રહેશે.
આવનારા 9 દિવસમાં 5 દિવસ બેંક રહેશે બંધ
11 માર્ચ - મહાશિવરાત્રિના કારણે ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, પંજાબ, ઉત્તરાખંડ, તેલંગાણા, રાજસ્થાન, જ્મ્મૂ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, કેરળ, છત્તીસગઢ, ઝારખંડ, કાશ્મીર, હિમાચલમાં બેંકમાં રજા રહેશે. દિલ્હીમાં આ દિવસે બેંકો ચાલુ રહેશે.
13 માર્ચ - આ દિવસે બેંકમાં બીજા શનિવારની રજા રહેશે.
14 માર્ચ - આ દિવસે રવિવાર હોવાથી બેંકની રજા રહેશે.
15 અને 16 માર્ચ - આ દિવસોએ બેંકની હડતાળ હોવાના કારણે બેંક બંધ રહેશે.