સાર્વજનિક ક્ષેત્રના બેન્ક ઓફ બરોડા (Bank of Baroda)એ હોમ લોનના વ્યાજદરોમાં 0.25 ટકા ઘટાડો કર્યો છે.
સસ્તામાં ખરીદો ઘર
BOBએ ઘટાડ્યા વ્યાજદર
વ્યાજદરોમાં 0.25 ટકા ઘટાડાની જાહેરાત
જો તમે પણ બજારથી ઓછા ભાવમાં ઘર ખરીદવા માંગો છો તો તમારા માટે સારી તક છે. હકીકતે સાર્વજનિક ક્ષેત્રના બેન્ક ઓફ બરોડા તમારા માટે ખાસ ઓફર લઈને આવ્યું છે. બેન્ક ઓફ બરોડાએ ગુરુવારે હોમ લોનના શરૂઆતી વ્યાજદરોમાં 0.25 ટકા ઘટાડાની જાહેરાત કરી છે. હાલમાં જ ઘણી બીજી સરકારી અને ખાનગી બેન્કો પણ હોમ લોન પર સ્પેશયલ ઓફર્સ આપી રહી છે.
બેન્ક ઓફ બરોડા હવે 6.50 ટકાના શરૂઆતી વ્યાજદર પર હોમ લોન ઉપલબ્ધ કરાવશે. નવા વ્યાજદર 7 ઓક્ટબર 2021થી લાગુ થઈ જશે.
નહીં આપવી પડે કોઈ પ્રોસેસિંગ ફી
બેન્કના નવા દર એ કસ્ટમર્સ માટે ઉપલબ્ધ રહેશે જે નવા લોન માટે અરજી કરી રહ્યા છે. લોન ટ્રાન્સફર અથવા પોતાના હાલના લોનને રિફાઈનાન્સ કરવા માંગે છે સાથે જ હોમ લોન પર ઝીરો પ્રોસેસિંગ ચાર્જની ઓફર 31 ડિસેમ્બર 2021 સુધી વધારી દેવામાં આવ્યું છે.
બેન્ક ઓફ બરોડાના જીએમ-મોર્ગેજ એન્ડ અન્ડર રિટેલ અસેસ્ટ્સ, એચ ટી સોલંકીએ જણાવ્યું, "બેન્ક હંમેશા હોમ લોન અને અન્ય રિટેલ લોન પ્રોડક્ટ્સ પર વ્યાજનો સૌથી વધુ પ્રતિસ્પર્ધી દરોની રજૂઆત કરવાનો પ્રયત્ન કરે છે. અમારા ડિજિટલ પ્લેટફોર્મ અને અમારી સમર્પિત ટીમોના માધ્યમથી પ્રક્રિયાને મુશ્કેલી મુક્ત બનાવી દેવામાં આવ્યું છે. "