ભારતીય રિઝર્વ બેંક (RBI)ની વાર્ષિક રિપોર્ટમાં જણાવાયું છે કે ગત વર્ષની તુલનામાં બેન્કોમાં છેતરપિંડી (Banks Fraud)ના મામલામાં વાર્ષિક 15 ટકાનો વધારો થયો છે. જ્યારે છેતરપિંડીની રકમમાં 73.8 ટકાનો વધારો થયો છે.
આરબીઆઇની વાર્ષિક રિપોર્ટ અનુસાર નાણાકિય વર્ષ 2018-19માં બેન્કોમાં 71,542.93 કરોડ રૂપિયાની છેતરપિંડી થઇ, જે 2017-19 દરમિયાન 41,167.04 રૂપિયા હતી. રિઝર્વ બેન્કની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બેન્કો દ્વારા છેતરપિંડીની ઘટનાની તારીખ અને બેન્કો દ્વારા તેની ઓળખ વચ્ચેનું સરેરાશ અંતર 22 મહીના હતું.
એમા કહેવામાં આવ્યું છે કે મોટી છેતરપિંડીના મામલા, એટલે કે 100 કરોડ રૂપિયાથી વધારે ની છેતરપિંડીના મામલામાં બનવા અને તેની જાણ થવાની વચ્ચેનો સમય સરેરાશ 55 માસ રહ્યો છે. આ દરમિયાન 100 કરોડ રૂપિયાથી વધારે મૂલ્યની છેતરપિંડીની રાશિ 52,200 કરોડ રૂપિયા રહી છે.
સૌથી વધારે છેતરપિંડીના મામલા અગ્રિમ રાશિથી જોડાયેલા છે. ત્યારબાદ કાર્ડ, ઇન્ટરનેટ અને જમા રાશિ સાથે જોડાયેલી છેતરપિંડીના મામલાઓ સામે આવ્યા છે. વર્ષ 2018-19માં કાર્ડ, ઇન્ટરનેટ અને જમા રાશિ સાથે જોડાયેલી છેતરપિંડીનું મૂલ્ય કુલ છેતરપિંડીની સામે માત્ર 0.3 ટકા રહ્યું છે.