કેન્દ્રીય ટ્રેડ યૂનિયનની 26 નવેમ્બરે રાષ્ટ્રવ્યાપી હડતાલ રહેશે. આ હડતાલમાં અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘ પણ સામેલ થશે. સરકારે હાલમાં 3 નવા શ્રમ કાનૂન પસાર કર્યા છે અને 27 જૂના કાયદાને ખતમ કર્યા છે તેના વિરોધમાં આ હડતાલ કરવામાં આવી છે. લગભગ 30000 બેંક કર્મીઓ આવતીકાલે હડતાલમાં સામેલ થશે. તો તમે તમારા જરૂરી કામ આજે જ પતાવી લો તે ઈચ્છનીય છે.
આવતીકાલે બેંક રહેશે બંધ
30000 બેંક કર્મીઓ થશે હડતાલમાં સામેલ
આજે જ પતાવી લો જરૂરી કામ, નહીં પડે મુશ્કેલી
AIBEAએ જાહેર કર્યું નિવેદન
AIBEAએ મંગળવારે જ કહ્યું હતું કે લોકસભાએ હાલમાં સંપન્ન સત્રમાં 3 નવા શ્રમ કાયદાને પસાર કર્યા છે અને કારોબારની સુગમતા માટે 27 જૂના કાયદાને સમાપ્ત કર્યા છે. આ કાયદા શુદ્ધ રીતે કોર્પોરેટ જગતના હિતમાં છે. આ પ્રક્રિયામાં 75 ટકા શ્રમિકોને શ્રમ કાયદાની બહાર કરાયા છે. નવા કાયદામાં આ શ્રમિકોને કોઈ સંરક્ષણ અપાયું નથી.
30000 બેંક કર્મીઓ થશે હડતાલમાં સામેલ
AIBEA ભારતીય સ્ટેટ બેંક અને ઈન્ડિયન ઓવરસીઝ બેંક સિવાયની મોટા ભાગની બેંકોનું પ્રતિનિધિત્વ કરે છે. તેના સભ્યોમાં વિવિધ સાર્વજનિક અને જૂના ખાનગી ક્ષેત્રના બેંકો અને અન્ય વિદેશી બેંકોના 4 લાખ કર્મચારીઓ સામેલ છે. નિવેદનમાં કહેવાયું છે કે મહારાષ્ટ્રમાં સાર્વજનિક ક્ષેત્રની બેંકો, જૂની પેઢીના ખાનગી ક્ષેત્રની બેંકો અને ક્ષેત્રીય ગ્રામીણ બેંકો અને વિદેશી બેંકોની 10000 બ્રાંચના 30000 કર્મચારીઓ સામેલ થશે.
બેંક કર્મચારીઓ પણ હડતાલમાં થશે સામેલ
AIBEAએ કહ્યું કે 26 નવેમ્બરે બેંક કર્મચારીઓ પોતાની માંગ મૂકશે અને સાથે શ્રમ કાયદાના સિવાય આ વાતો પર પણ ફોકસ રહેશે. બેંક કર્મચારીઓની તરફથી બેંકના ખાનગીકરણનો વિરોધ, આઉટ સોર્સિંગ અને કોન્ટ્રાક્ટ સિસ્ટમનો વિરોધ, પૂરતી ભરતીઓ અને મોટા કોર્પોરેટ ડિફોલ્ટર્સની વિરુદ્ધમાં કડક પગલાં, બેંક ડિપોઝીટના વ્યાજદરમાં વધારો અને સર્વિસ ચાર્જમાં ઘટાડો જેવી માંગ રખાશે.
બેંકિંગ સેક્ટરમાં મોટા પાયે થઈ રહેલા ખાનગીકરણ સિવાય આ નિવેદનમાં કહેવાયું છે કે આા સમયે સરકાર ઝડપથી ખાનગીકરણ કરી રહી છે. સરકારના આ પગલાંથી દેશની ઈકોનોમી પર અસર થઈ રહી છે. આ સમયે બેંકિંગ સેક્ટરમાં મોટા પાયે ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે.