કાઠમાંડૂ: કાઠમાંડૂ: બાંગ્લાદેશનું યત્રી વિમાન નેપાળની રાજધાની કાઠમાંડૂ એરપોર્ટ પર ક્રેશ થઇ ગયું છે. અત્યાર સુધી મળેવી જાણકારી અનુસાર 17 લોકોને બચાવવામાં આવ્યા છે. જ્યારે વિમાનના કાટમાળમાંથી 20 શવ બરામદ કરવામાં આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે આ વિમાન ઘટનામાં જીવ ગુમાવનાર સૌથી વધારે બાંગ્લાદેશી નાગરિક છે.
મળત રિપોર્ટ અનુસાર કાઠમાંડૂ એરપોર્ટ પર ઊતરતી વખતે વિમાન પોતનું સંતુલન ગુમાવી બેઠું અને એ દરમિયાન આ ઘટના બની. દુર્ઘટનાગ્રસ્ત વિમાન બાંગ્લાદેશની એરલાયન્સ યૂએસ-બાંગ્લાનું હતું. ઘાયલોને તરત હોસ્પિટલ પહોંટાડવામાં આવ્યા અને દુર્ઘટનાસ્થળ પર બચાવ કાર્ય ચાલુ છે.
એરલાયન્સ યૂએસ-બાંગ્લા એક બાંગ્લાદેશી ખાનગી એરલાયન છે જેની સ્થાપના 2013માં અમેરિકા અને બાંગ્લાદેશની વચ્ચે જોઇન્ટ વેન્ચર હેઠળ કરવામાં આવી હતી.
આ એરલાયન્સ ઢાકાથી નેપાળના રૂટ પર હતી. ઘટના બાદ કાઠમાંડૂ એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યું છે. ઘટના એ સમયે બની જે દરમિયાન વિમાન ત્રિભુવન એરપોર્ટ પર લેન્ડ કરી રહ્યું હતું.
એરપોર્ટના પ્રવક્તાના જણાવ્યા અનુસાર વિમાનમા આશરે 67 યાત્રી સવાર હતા. વિમાન ક્રેશની માહિતી બાદ સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારના વીડિયો અને ફોટોઝ સામે આવવા લાગ્યા છે.