મહિસાગરમાં ભાજપને વફાદાર ખેડૂતે તાલુકા પંચાયતની કચેરીમાં જ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. ખેડૂતે સુસાઈડ નોટ લખીને ભાજપ સરકાર અને ધારાસભ્યનો ઉલ્લેખ કરી મદદ ન મળી હોવાની વાત કહી હતી ત્યારે ધારા સભ્ય જિગ્નેશ સેવકનું નામ હતું તેમણે VTV સાથે ખાસ વાતચીત કરી હતી.
તાલુકા પંચાયતમાં ખેડૂતની આત્મહત્યાનો મામલો
ધારાસભ્ય જિજ્ઞેશ સેવક સાથે ખાસ વાતચીત
સ્યુસાઈડ નોટમાં હતો ઉલ્લેખ
તાલુકાની કચેરીમાં જ આપઘાત
મહીસાગરના ખાનપુર તાલુકા પંચાયત કચેરીમાં એક ખેડૂતે આપઘાત કરી લીધો છે. કચેરીમાં જ ખેડૂતે ગળેફાંસો ખાતા ચકચાર મચી ગઈ હતી. જો કે ખેડૂતે આપઘાત કેમ કર્યો તે અંગે જે ખુલાસો થયો છે તે ચોંકાવનારો છે.
પરિવાર શોક મગ્ન
વાંદરવેડ ગામના બળવંતસિંહ ચારણ નામના ખેડૂતે તાલુકા પંચાયત કચેરીમાં ગળે ફાંસો ખાઇ મોતને વહાલું કર્યુ છે. આ ઘટનાને પગલે બળવંત સિહના પરિવારજનો પણ આઘાતમાં સરી પડ્યા હતા અને આક્રંદ કરતા જોવા મળ્યા હતા. બાકોર પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. બળવંત સિહે ધારાસભ્યને નામે સુસાઈડ નોટ લખીને આપઘાત વહોર્યો હતો. ધારાસભ્યને નામે તેમણે લાંબી સુસાઈડ નોટ લખી હતી.
ટોયલેટની સહાય નથી મળી તો મોટી સહાયની શું વાત કરું? વાંચો સુસાઈડ નોટ
જયભારત
મારા આત્મામાં ભાજપ પક્ષ છે. છેકથી ભાજપના સાથમાં રહ્યો, મરીશ તો પણ ભાજપમાં માનીશ. પ્રકાશભાઈ ડેલીગેટને પૂછજો તેઓ જ્યારથી તાલુકા પ્રમુખ બન્યા ત્યારથી ભાજપને માનતો આવ્યો છું. 65થી 70 વર્ષે સેવક સાહેબ જિલ્લાની બેઠક પર જીત્યા ત્યારે બાકરોલના વરઘોડામાં મે ખભા ઉપર બેસાડી નચાવ્યા હતા. તે તમને પણ જાણ છે. તો મને અત્યાર સુધી કોઈ સરકારી લાભ મળેલ નથી. હું લાભ લેવા ઘણી રજૂઆતો કરી ચૂક્યો પણ મારૂં કામ કોઈએ કર્યુ નથી તે રેકર્ડ પર છે. તેની ખાતરી કરવી. હું ગરીબ માણસ છું. ટોઈલેટની સહાય નથી મળી તો મોટી સહાયની વાત શું કરવી, બસ મારા પત્રને અહીં પૂરો કરું છું.
લી. બળવંતસિંહ ભગ્ન
શું કહ્યું ભાજપના ધારાસભ્યનું
માહિસાગરના ખાનપુર તાલુકા પંચાયતના ખેડૂતની આત્મહત્યા મામલે ખેડૂતે સુસાઇડ નોટમાં ધારાસભ્ય જિગ્નેશ સેવકના નામનો ઉલ્લેખ કર્યો હતો જે બાબતે જિગ્નેશ સેવકે ખેડૂત આત્મહત્યા બાબતે VTV સાથે ખાસ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે, ખેડૂત મારી પાસે સરકારી મકાનની મદદ માટે આવ્યા હતા. ખેડૂતને યોગ્ય માહિતી આપીને સરકારી મકાન આપવ્યું હતું. આત્મહત્યાના કારણને લઇ સમિતિ તાપસ કરી રહી છે. આત્મહત્યા માટે જવાબદાર હશે તેની સામે કાર્યવાહી થશે. જવાબદાર પ્રજા પ્રતિનિધિ કે અધિકારી હશે તો પણ કાર્યવાહી થશે.