પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં પંદર દિવસથી પીવાના પાણીની સમસ્યાને લઈને મહિલાઓએ માટલા ફોડી વિરોધ કર્યો હતો
૫૦૦૦ જેટલી રકમનું ટેન્કર દ્વારા પાણી મંગાવી ચૂક્યા છે
ચાર સોસાયટીમાં પંદર દિવસથી પાણી નથી મળતું
ચિત્રકૂટ સોસાયટીમાં 3 નિવૃત મામલતદાર રહે છે
પાલનપુરમાં ચાર સોસાયટીમાં પંદર દિવસથી પાણી ન મળતું હોય અને વારંવારની રજૂઆતો છતા પાણી ન મળવાને કારણે તંત્રને જગાડવા માટલા ફોડી વિરોધ કરાયો હતો..
પાલનપુરના ગણેશપુરા વિસ્તારની ચિત્રકૂટ સહિત ચાર સોસાયટીઓમાં છેલ્લા પંદર દિવસથી પીવાનું પાણી મળતું ના હોય સ્થાનિક મહિલાઓએ વિરોધ કર્યો હતો વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પણ પંદર દિવસથી પાણીની સમસ્યા ભોગવી રહેલી મહિલાઓ એ આજે માટલા ફોડી વિરોધ કર્યો હતો જોકે પીવાના પાણીની સમસ્યા સર્જાતા ટેન્કર દ્વારા પૈસા ખર્ચીને પાણી મંગાવ પડતું હોવાથી ચાર સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા જો કે તંત્રને જગાડવા માટે આજે નગરપાલિકા વિરોધી સૂત્રોચ્ચાર અને માટલા ફોડી તંત્રની જગાડવાનો પ્રયાસ કર્યો હતો.
૫૦૦૦ જેટલી રકમનું ટેન્કર દ્વારા પાણી મંગાવી ચૂક્યા છે
તાજેતર માં પાલનપુર નગરપાલિકા ચૂંટણી માં પરિણામ આવ્યા છે.ચૂંટણી માં પણ અનેક વાયદા થયા છે.પરંતુ નવા .ચુંટાયેલા સદસ્યો પણ હજુ આ વિસ્તારમાં ફરક્યા નથી . છેલ્લા પંદર દિવસથી પીવાના પાણીની સમસ્યા છે ત્યારે રોજિંદા વપરાશમાં પણ પાણીમાં તકલીફ ભોગવતા ચાર સોસાયટીના રહીશોએ આજે નગરપાલિકા નો વિરોધ કર્યો તો છેલ્લા પંદર દિવસમાં ચાર સોસાયટીના રહીશો ૧૫૦૦૦ જેટલી રકમનું ટેન્કર દ્વારા પાણી મંગાવી ચૂક્યા છે નગરપાલિકામાં રજૂઆત પાણી પુરવઠા વિભાગમાં પણ રજૂઆત છતાં પણ રજૂઆત ન સાંભળતા આખરી વિરોધનો સૂર ઉઠ્યો હતો ચિત્રકૂટ સોસાયટી સહિત ચાર સોસાયટી માં રોડ રસ્તા ના ઠેકાણા નથી અને ભૂગર્ભ ગટરની સમસ્યાથી પણ પરેશાન છે...
ચિત્રકૂટ સોસાયટીમાં 3 નિવૃત મામલતદાર રહે છે
નવાઈની વાત એ છે કે ચિત્રકૂટ સોસાયટીમાં 3 નિવૃત મામલતદાર રહે છે અને બે હાલ ફરજ ઉપર મામલતદાર ફરજ બજાવે છે છતાં પણ તેમને પંદર દિવસથી પાણીની સમસ્યાઓ નો સામનો કરવો પડે છે જોકે મામલતદાર કક્ષાના અધિકારીઓની સોસાયટી ની આવી હાલત હોય તો સામાન્ય માણસો સુધી પાણી પહોંચતા કેટલો સમય લાગતો હશે તે આ નગરપાલિકા વહીવટી તંત્રની નીતિ પરથી સ્પષ્ટ થાય છે.