બલિયા હત્યાકાંડ પર મૃતકના ભાઈએ કહ્યું કે, પોલીસકર્મીઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે. મૃતકના ભાઈનું કહેવું છે કે જ્યારે ધીરેન્દ્ર પ્રતાપ અને તેમના લોકોએ પથ્થરમારો અન ફાયરિંગ કર્યું હતું. ત્યારે પોલીસ તેમને બચાવી રહી હતી. અને મૃતક પક્ષના લોકોને માર મારી ભાગી ગયા હતા.
ધીરેન્દ્ર પ્રતાપ અને તેમના લોકોએ પથ્થરમારો અન ફાયરિંગ કર્યું હતુ
મૃતક પક્ષના લોકોને માર મારી ભાગી ગયા હતા
પોલીસે આરોપીને ભીડની બહાર લઈ જઈને જોડી દીધો હતો
એટલું જ નહીં મૃતકના ભાઈએ એમ પણ આરોપ લગાવ્યો છે કે ઘટના બાદ પોલીસે હત્યાકાંડને આખરી ઓપ આપનારા આરોપીને પકડી લીધો હતો. પરંતુ એ બાદ ભીડની બહાર લઈ જઈને જોડી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે બલિયાના રેવતી પોલીસ સ્ટેશનમાં દુર્જનપુર ગામમાં 15 ઓક્ટોબરે બપોર પછી પોલીસ અને જિલ્લા પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં એક વ્યક્તિની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. ઘટના એ સમયે બની જ્યારે કોટાની દુકાન માટે એસડીએમ અને સીઓની હાજરીમાં ગામમાં ખુલ્લી બેઠક ચાલી રહી હતી. આ મામલામાં મુખ્ય આરોપી ધીરેન્દ્ર પ્રતાપ સિંહ જે હજું સુધી ફરાર છે. ધીરેન્દ્ર પ્રતાપ સિંહને બલિયાના બેરિયાથી ભાજપના ધારાસભ્ય સુરેન્દ્ર સિંહનો નજીકનો માનવામાં આવી રહ્યો છે.
આઘટનામાં ગોળી લાગવાથી દુર્જનપુર પુરાની બસ્તીના રહેવાસી 46 વર્ષીય જયપ્રકાશ ઉર્ફે ગામા પાલનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. ઘટનામાં ઈન્ટ પથ્થર અને લાકડીના ડંડાના ચાલવાથી 3 મહિલા સહિત અડધો ડર્ઝન લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા . ઘાયલોને સારવાર માટે સ્વાસ્થ્ય કેન્દ્ર સોનબરસા મોકલવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.