ઉત્તર પ્રદેશના બઈરાઈચ જનપદના પયાગપુર પોલીસ સ્ટેશનની હદમાં શિવ દહા વળાંક પાસે એક ભીષણ રોડ અકસ્માત થયો છે જેમાં 6ના મોત થયા છે. જ્યારે 10 ઘાટલ થઈ ગયા છે. ઘાયલમાંથી 5ની હાલત ગંભીર છે. તમામે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.
6 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા, ઘાયલમાંથી 5ની હાલત ગંભીર
તમામ લખીમપુર ખીરી જિલ્લામાં તિકુનિયા અને સિંગાહીના રહેવાસી
પોલીસની ગાડીનાં તમામને જિલ્લા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા
બઈરાઈચ જનપદના પયાગપુરમાં એક ગમખ્વાર રોડ અકસ્માત થયો છે. પોલીસના જણાવ્યાનુંસાર એક મહિંન્દ્રા ગાડીમાં સવાર 16 પ્રવાસી આંબેડકરનગર સ્થિત કિછૌછા શરીફના દર્શન કરીને પાછા ફરી રહ્યા હતા. ત્યારે પયાગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શિવદહા વળાંક પાસે એક અજાણ્યા વાહને તેને ટક્કર મારી હતી. આ ઘટનામાં 6 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા.
જો કેસ્થાનીક લોકોનો આરોપ છે કે સમયસર એમ્બ્યુલન્સ આવી ગઈ હોત તો કેટલાક લોકોના જીવ બચી શક્યા હોત. પરંતું એમ્બ્યુલન્સ સમય સર ન પહોંચતા પોલીસની ગાડીનાં તમામને જિલ્લા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. મળતી જાણકારી મુજબ તમામ મૃતકો અને ઘાયલોને લખીમપુર ખીરી જિલ્લામાં તિકુનિયા અને સિંગાહીના રહેવાસી છે.
ઉલ્લેખનીય છે કે ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ ઓપરશન કર્યુ હતુ. જ્યારે સ્થાનીકોએ પણ મદદ કરી હતી. જોકે એમ્બ્યુલન્સ સમયસર ન આવી હોવાથી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. પોલીસે ગુનો નોંધવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.