આજે દરેક વ્યક્તિ વિશ્વના બાબા વેંગાની આગાહીઓથી રૂબરૂ થઈ ગયા છે. અત્યાર સુધીમાં તેમના મોટાભાગના શબ્દો સાચા સાબિત થયા છે. ભવિષ્યવેત્તા બાબા વેંગાએ વર્ષ 2022 માટે ઘણી મોટી ભવિષ્યવાણીઓ કરી હતી. વર્ષ 2022 સમાપ્ત થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. તમને જણાવી દઈકે તેમના મૃત્યુ પહેલા તેમણે વર્ષ 5079 સુધી ભવિષ્યવાણી કરી હતી.
બાબા વેંગાએ શું શું આગાહી કરી હતી ?
બાબા વેંગાએ આગાહી કરી હતી કે, વર્ષ 2022માં એક નવો જીવલેણ વાયરસ ઉભરી આવશે. આ સિવાય તેણે એલિયન એટેકની પણ વાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, આ વર્ષે તીડ પણ હુમલો કરી શકે છે. બાબા વેંગાની આગાહી અનુસાર વર્ષ 2022માં તાપમાનમાં ઘટાડો જોવા મળશે. આ કારણોસર તીડ ખોરાકની શોધમાં ભારત પર હુમલો કરી શકે છે. તીડના હુમલાથી પાકને ભારે નુકસાન થઈ શકે છે, જે ભારતમાં ભૂખમરો અને દુષ્કાળ તરફ દોરી શકે છે.
બાબા વેંગાએ કેટલાક દેશોમાં પાણીની અછત વિશે પણ વાત કરી હતી. નોંધનીય છે કે, પોર્ટુગલ અને ઇટાલી જેવા દેશોએ લોકોને ઓછા પાણીનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો છે. પ્રબોધક બાબા વેંગાએ પણ કેટલાક એશિયન દેશોમાં પૂરની આગાહી કરી હતી. નોંધપાત્ર રીતે પૂરની સમસ્યા બાંગ્લાદેશ, પાકિસ્તાન, ભારતના ઉત્તર-પૂર્વીય ક્ષેત્ર અને થાઈલેન્ડમાં પણ જોવા મળી છે. તેમણે ભૂકંપ અને સુનામીની પણ આગાહી કરી હતી. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કિનારે તબાહી સર્જાઈ હતી.