યોગ ગુરુ બાબા રામદેવે વધતી વસ્તીને નિયંત્રણમાં રાખવા સરકારને કાયદો બનાવવાની સલાહ આપી છે.
બાબા રામદેવનું સૂચન છે કે, ત્રીજું બાળક હોય તેને મતાધિકાર ન મળવો જોઈએ. રામદેવે દેશની વધતી વસ્તી પર ચિંતા પ્રગટ કરતા કહ્યુ કે, સરકારે આ મુદ્દા સખત કાયદો બનાવવો જોઇએ. સાથે જ તેમણે ગૌહત્યા રોકવા માટે પગલા ભરવાની માગ કરી છે.
હરિદ્વારમાં એક કાર્યક્રમ દરમિયાન રામદેવે કહ્યું કે, “આપણી વસતી કોઇપણ કિંમતે 150 કરોડથી વધવી ના જોઇએ. આનાથી વધારે વસ્તી માટે આપણે તૈયાર નથી. આ ત્યારે જ શક્ય બનશે જ્યારે કાયદો બનાવીને તેના પર રોક લગાવવામાં આવે. ત્રીજા બાળકને મત આપવાનો અધિકાર ન મળે, ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યા અને કોઇપણ પ્રકારની સરકારી સુવિધા મળવી ન જોઇએ.''
Yog Guru Ramdev: Our population shouldn't cross 150 cr in next 50 yrs. We aren't prepared to have a population more than that. It can be possible only when a law is made that the third child won't have voting rights, right to contest elections and facilities by the govt. (26.05) pic.twitter.com/7TdKhrL0rr
યોગ ગુરુએ કહ્યું કે, ભારતે જનસંખ્યા નિયંત્રણ પર કામ કરવાની જરૂર છે. રામદેવે કહ્યુ કે, “ત્રીજા બાળક માટે એવો કાયદો બનાવો કે તે ચૂંટણી ના લડી શકે અને તેણે કોઇપણ પ્રકારની સરકારી સુવિધા પણ ન મળે. આ લોકોને મતદાનનો અધિકાર પણ ન મળવો જોઇએ.''રામદેવે રવિવારે હરિદ્વારમાં કહ્યું કે, ''આગામી 50 વર્ષોમાં દેશની વસ્તી 150 કરોડથી વધારે ન હોવી જોઇએ.''
આખા દેશમાં ગૌહત્યા રોકવાની પણ બાબા રામદેવે માગ કરી. ગાયના તસ્કરો અને ગૌરક્ષકો વચ્ચે ઝઘડો ટાળવાનો આ જ એક ઉપાય છે. હવે બાબા રામદેવના આ નિવેદન પર લોકો તીખી પ્રતિક્રિયા આવે તો નવાઇ નહી.