આયુષ મંત્રાલયે બાળકોને લઈને નવી ગાઈડલાઈન જારી કરી છે.
જો બાળકોને 4થી 5 દિવસ સુધી ભારે તાવ આવી રહ્યો છે તો...
બાળકોમાં જો ઓક્સીજનનું સ્તર 95 થી ઓછી થઈ ગયું હોય તો...
બાળકોને દૂધમાં હળદળ ભેળવીને આપવી જોઈએ
જો બાળકોને 4થી 5 દિવસ સુધી ભારે તાવ આવી રહ્યો છે તો...
દેશમાં હવે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. પણ વિશેષજ્ઞ અને ડોક્ટરો દેશમાં જલ્દીથી કોરોના સંક્રમણની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. તેવામાં આયુષ મંત્રાલયે બાળકોને લઈને નવી ગાઈડલાઈન જારી કરી છે. જેના અનુસાર જો બાળકોને 4થી 5 દિવસ સુધી ભારે તાવ આવી રહ્યો છે. જમતા નથી અથવા થાકેલા થાકેલા અનુભવે છે તો લોકોએ તાત્કાલીક ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
બાળકોમાં જો ઓક્સીજનનું સ્તર 95 થી ઓછી થઈ ગયું હોય તો...
નવી ગાઈડલાઈન અનુસાર બાળકોમાં જો ઓક્સીજનનું સ્તર 95 થી ઓછી થઈ ગયું હોય તો તે તેમને વૃદ્ધોથી દુર રાખવા જોઈએ. બિના કોરોના લક્ષણવાળા બાળકો વુદ્ધ લોકો માટે સમસ્યા ઉત્પન્ન કરી શકે છે.
બાળકોને દૂધમાં હળદળ ભેળવીને આપવી જોઈએ
ગાઈડલાઈન મુજબ બાળકોની ઈમ્યૂનિટી વધારવા માટે તેમને દૂધમાં હળદળ ભેળવીને આપવી જોઈએ. આની સાથે તેમને ચ્યવનપ્રાશ આપો. આયુષ બાલ કાથ આપી શકો છો. કોરોના સંક્રમિત બાળકોના લક્ષણોના આધાર પર અલગ અલગ આયુર્વેદિક દવાઓ પણ તેમને આપી શકે છે. જો કે આની પહેલા ડોક્ટરી સલાહ લેવી ફરજિયાત છે. બાળકોને પૌષ્ટિકતા વધારવા માટે તેમને લીલા શાકભાજી અને ફળ ખાવા આપો.
બાળકોને પીવા માટે હુંફાળુ પાણી આપો
જ્યારે પણ જરુર હોય બાળકોને પીવા માટે હુંફાળુ પાણી આપો. બાળકોને સ્વસ્થ રાખવા માટે તેમને સવારે અને રાતે બ્રશ કરાવો. બાળકો જો 5 વર્ષથી મોટા હોય તો તેમને ગરમ પાણીના કોગળા કરાવો. બાળકોને તેલ માલિશ કરો. બાળકોને યોગ કરાવવાનું સુનિશ્ચિત કરો.
ગાઈડલાઈનમાં ચેતવણી અપાઈ છે કે...
આયુષ મંત્રાલયની ગાઈડલાઈનમાં ચેતવણી અપાઈ છે કે ઓબેસિટી, ટાઈપ 1 ડાયબિટીસ, હૃદય, ફેંફસા સહિત અન્ય ગંભીર બિમારીથી ગ્રસ્ત બાળકોને કોરોના મહામારીની ત્રીજી લહેર સૌથી વધારે ખતરનાક હોઈ શકે છે. કેન્સર સહિત અન્ય બિમારીઓથી ગ્રસ્ત બાળકો જેમની દવા ચાલી રહી છે.