જોકે હજુ સુધી એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવ નથી કે આ આયુર્વેદિક દવા કોરોનાથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે. તેમ છતાં લોકો મોટી સંખ્યામાં ત્યાં આવી રહ્યા છે.
કોરોનાની દવા લેવા માટે લોકોની પડાપડી
પડોસી રાજ્યોમાંથી પણ આવી રહ્યા છે લોકો
કોરોનાની આયુર્વેદિક દવા માટે ભારે સંખ્યમાં લોકોની ભીડ
કોરોના વાયરસ સંક્રમણથી લડવા માટે દરેક વ્યક્તિ સારી સારવાર મળે તે ઈચ્છતું હોય છે. આ વચ્ચે હજારો લોકો કોરોનાની સારવારનો દાવો કરી રહ્યા છે. કોઈ ગૌમૂત્ર પીવાથી સારવાર થયા છે તેવો દાવો કરી રહ્યું છે તો કોઈ જાદૂ પર પણ વિશ્વાસ કરી રહ્યું છે. આવો જ એક અંધવિશ્વાસનો મામલો આંધ્ર પ્રદેશથી સામે આવ્યો છે.
આંધ્ર પ્રદેશમાં નેલ્લોર જિલ્લાના એક નાના ગામમાં આયુર્વેદિક દવા માટે લાંબી-લાંબી લાઈનો જોવા મળી રહી છે. અહીં દૂર દૂરથી લોકો કોરનાની સારવાર માટે દરરોજે લાંબી લાઈનમાં ઉભા રહે છે. હકીકતે, આનંદૈયા નામના એક આયુર્વેદના ડોક્ટરે પોતાના દવાથી કોરોનાની સફળ સારવારનો દાવો કર્યો છે. તેમનો આ દાવો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેના પરિણામે અહીં દૂર દૂરથી લોકો આવવાના શરૂ થઈ ગયા છે. અહીં સુધી કે પડોસી રાજ્યમાંથી પણ લોકો આવી રહ્યા છે.
Andhra Pradesh | People in very large numbers gather at Krishnapatnam village in Nellore district where an Ayurvedic practitioner is distributing medicines for COVID19; social distancing norms flouted pic.twitter.com/plv60oxtXl
આનંદૈયા પોતાની આયુર્વેદિક દવા લોકોને બિલકુલ મફતમાં આપી રહ્યા છે. જેની સ્થિતિ ગંભીર છે તેમને આઈડ્રાપ પણ આપવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી આ વાતનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી મળ્યું કે આયુર્વેદિક દવા કોરોનાનો ઈલાજ કરવામાં મદદ કરી શકે છે. તેમ છતાં મોટી સંખ્યામાં લોકો અહીં આવી રહ્યા છે.
પ્રસાશને દવા પર લગાવી રોક
અહીં આવનાર એક વ્યકિતએ કહ્યું, 'તેનો એક વખત ઉપયોગ કરી જુઓ ખોટો નથી. દર્દીઓ શ્વાસ નથી લઈ શકતા, ઓક્સિજન બેડ માટે લોકો એકથી બીજી હોસ્પિટલ ધક્કા ખાઈ રહ્યા છે. આ વચ્ચે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. અમને આશા છે કે આ દવા કામ કરશે.' અમુક મીડિયા રિપોર્ટ અનુસાર, હાલ પ્રસાશને સાવધાની રૂપે આ દવાના ઉપયોગ પર રોક લગાવી દીધી છે. આયુષ આયુર્વેદના ડોક્ટર દવાની તપાસ કરી રહ્યા છે. જો પરિણામ સકારત્મક આવે ત્યારે જ તેના પર નિર્ણય લઈ શકાય.