બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ayodhya ram mandir: ahmedabad fashion designers special outfit goes viral

અદ્ભુત કળા / વનવાસથી લઈને રામમંદિર સુધી...: અમદાવાદના ફેશન ડિઝાનરે તૈયાર કર્યો ખાસ કુર્તો, PMને ગિફ્ટ આપવાની ઈચ્છા

Published By: Parth

Last Updated: 02:24 PM, 21 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

500 વર્ષની આતુરતા બાદ કરોડો ભક્તોના આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામ હવે ઠાઠમાઠ સાથે ભવ્ય મંદિરમાં દર્શન આપશે. રામલલાનું સ્વાગત કરવા માટે દેશભરના લોકો અવનવી રીતે પોતાનું યોગદાન આપી રહ્યા છે, ત્યારે અમદાવાદના ફેશન ડિઝાઇનરે એક એવો કુર્તો બનાવ્યો છે જેમાં આખી રામાયણના દર્શન થઈ જાય છે.

  • અમદાવાદના ફેશન ડિઝાઇનરે તૈયાર કર્યો ખાસ કુર્તો 
  • એક જ કુર્તા પર રામાયણના દર્શન 
  • પીએમ મોદીને ભેટમાં આપવાની ઈચ્છા 

રામ મંદિર માટે ખાસ કુર્તો 
અમદાવાદના હેનીશ પટેલ વર્ષ 2013થી ફેશન ડિઝાઇનિંગનું કામ કરે છે. દર વર્ષે નવરાત્રીમાં પોતાની હટકે સ્ટાઈલના આઉટફિટના કારણે તેઓ સોશિયલ મીડિયામાં પણ છવાયેલા રહે છે, ત્યારે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે તેમણે જાતે જ સ્પેશિયલ કુર્તો ડિઝાઇન કર્યો છે.

દિવસ રાત મહેનત કરીને માત્ર સાત જ દિવસમાં આ કુર્તો બનાવવામાં આવ્યો છે. જેમાં ખાસ ડબલ મટકા સિલ્ક કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખાસ ભગવા રંગના કુર્તા પર ભરતકામથી આબેહૂબ રામ મંદિરના દર્શન થાય છે. આખા કુર્તામાં કુલ છ ચિત્રો પણ છે. 

કુર્તાની ખાસિયતો:
- રામ ચરિત માનસના સાત કાંડનો ઉલ્લેખ 
- રામ, લક્ષ્મણ અને જાનકી વનવાસમાં હોય તેવા દર્શન 
- હનુમાનજી અને રામજીના મિલનનું ખાસ ચલચિત્ર 
- એકશ્લોકી રામાયણ 
- પ્રધાનમંત્રી મોદી અને રામજીનું ચલચિત્ર 

નોંધનીય છે કે જે ચિત્રો આ કુર્તા પર દર્શાવવામાં આવ્યા છે એ હેનિશ પટેલે રંગોના ઉપયોગથી જાતે જ દોર્યાં છે. 

PM મોદીને ભેટ આપવાની ઈચ્છા 
VTV સાથે ખાસ વાતચીતમાં હેનિશ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી મોદીની અપીલ બાદ ઘણા બધા લોકો રામ મંદિર માટે કામ કરી રહ્યા હતા તેથી મને પણ એવો વિચાર આવ્યો કે હું પણ મારુ યોગદાન આપું. જે બાદ મને આ સ્પેશિયલ કુર્તો બનાવવાનો વિચાર આવ્યો. મેં તેના માટે શાસ્ત્રના જાણકાર લોકો સાથે જાણકારી મેળવી, તથા રામચરિત માનસને લઈને પણ રિસર્ચ કર્યું.

આટલું જ નહીં હેનિશ પટેલની ઈચ્છા છે કે આ કુર્તો તેઓ પ્રધાનમંત્રી મોદીને ભેટ આપી શકે. તેમણે કહ્યું કે આ કુર્તો હું વેચવા નથી માંગતો, પ્રધાનમંત્રીને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષમાં ભેટ આપવા માંગુ છું. 

 

વધુ વાંચો : અંબાણી પરિવારને ગુજરાતી ભોજન જમાડનાર યુવાન, શોખ ખાતર CS છોડ્યું, હવે શોખે બનાવ્યો સ્ટાર

નવરાત્રીના સ્ટાયલિશ આઉટફિટ થાય છે વાયરલ 
નોંધનીય છે કે આ સિવાય હેનિશ પટેલે અગાઉ શ્રીનાથજીનો કુર્તો પણ બનાવ્યો હતો. સાથે સાથે જ્વેલરી અને મોતીની મદદથી તેમણે નવરાત્રી માટે ટ્રેન્ડિંગ આઉટફિટ બનાવ્યા હતા, તેમનું પેપલોન જેકેટ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Ayodhya ram mandir Vtv Exclusive અયોધ્યા રામ મંદિર ફેશન ડિઝાઇનર Ayodhya ram mandir

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ