અમદાવાદમાં આયેશા આપઘાત કેસ મામલામાં પોલીસ તપાસમાં થયો મોટો ઘટસ્ફોટ થયો છે.
અમદાવાદમાં આયેશા આપઘાત કેસ મામલો
પોલીસ તપાસમાં થયો મોટો ઘટસ્ફોટ
આયેશાને પતિ આરીફે જ આત્મહત્યા માટે દુષ્પ્રેરી હતી
પોલીસ તપાસમાં આરીફે કબૂલાત કરી
આયેશાને પતિ આરીફે જ આત્મહત્યા માટે દુષ્પ્રેરી હતી એટલું જ નહીં પણ આત્મહત્યા પહેલા વીડિયો બનાવવા કહ્યું હતું. આરીફ આયેશા સાથે મારઝુડ કરતો હતો એટલું જ નહીં પરંતુ લગ્ન બાદથી જ એણે આયેશા સાથે ઘરેલુ હિંસા શરૂ કરી દીધી હતી. પોલીસ તપાસમાં આરીફે કબૂલાત કરી છે. અમદાવાદની આયેશાના આત્મહત્યા કેસમાં તેનો પતિ હાલ રિમાન્ડ પર છે. પોલીસ રિમાન્ડ દરમિયાન અનેક નવી માહિતીઓ સામે આવી રહી છે. પતિ આરીફઆયેશા સાથે મારઝૂડ કરતો હોવાની કબૂલાત કરી છે.
આયેશાના આપઘાત પાછળ એક કારણ દહેજ પણ હતી. તો બીજી તરફ જે માહિતી સામે આવી તે, જાણીને તમે પણ ચોંકી જશો. જે આરીફ ખાન પોતાની પત્નીના પિતા પાસે દહેજની વારંવાર માગણી કરતો તેની પાસે, એક બે નહીં 4-4 દુકાન અને આલિશાન ઘર છે. પોશ વિસ્તારમાં દુકાનો અને મકાન ધરાવતા આયેશાના સાસરિયાઓને મહિને 50 હજાર જેટલું ભાડુ પણ મળે છે. આમ છતાં લાલચુ પરિવાર એક દિકરીના પિતાને પરેશાન કરતા હતા.
વીડિયો બનાવી આયશાએ કર્યો આપઘાત
અમદાવાદની આયશા નામની મહિલાએ સાબરમતી નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. આ આપઘાત કરતા પહેલા રિવરફ્રન્ટ પર હસ્તા હસ્તા પોતાનો અંતિમ વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં મહિલા પોતાના પતિ સાથેના અણગમા વિશે અને હું ખુશ છું અલ્લાહ પાસે જઈ રહી છું, તેવુ કહેતી નજરે ચડે છે. બાદમાં મહિલાએ પોતાનો આ અંતિમ વીડિયો પોતાના પતિને મોકલ્યો હતો.
તો મહિલાએ આત્મહત્યા પહેલા પોતાના માતા-પિતા સાથે પણ ફોનમાં વાતચીત કરી હતી. ત્યારબાદ હવે પોલીસે દુષ્પ્રેરણાના આરોપમાં પતિ અને સાસરિયાની શોધખોળ હાથ ધરી છે. તેવામાં હવે આઇશાના પરિવારજનો અને વકીલ દ્વારા કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા હતા.