ઇરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખોમૈનીએ ગુરૂવારના રોજ ભારત સરકારને કટ્ટરપંથી હિંદુઓ કહેવાતા અને તેમની પાર્ટીઓને રોકવાને અપીલ કરી છે. ખોમૈનીએ કહ્યું છે કે ભારત મુસલમાનો પર હિંસા રોકે નહીં તો ઇસ્લામિક દેશોથી અલગ-થલગ પડી જશે.
આ સાથે અયાતુલ્લાએ કહ્યું કે દિલ્હીમાં હાલમાં જ થયેલ હિંસાથી દુનિયાભરના મુસ્લિમો દુઃખી છે. નવી દિલ્હીમાં ઇરાનના રાજદૂત અલી ચેગેનીએ ભારતે સમન્સે મોકલ્યા બાદ દિલ્હીમાં હિંસા પર ઇરાનના વિદેશ મંત્રી જવાદ જરીફની વિવાદસ્પદ ટિપ્પણીને લઇને કડક વિરોધ કર્યાંના બે દિવસ પછી ઇરાનના આ નેતાનું નિવેદન આવ્યું છે.
અયાતુલ્લા અલી ખોમૈનીએ ટવિટ કરી કહ્યું છે કે ભારતમાં મુસ્લિમો પરની હિંસાથી દુનિયાના મુસ્લિમો દુઃખી છે. ભારત સરકારે કટ્ટરપંથી હિંદુઓ અને તેમની પાર્ટીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઇએ તેમજ ઇસ્લામી સંગઠનવાળા દેશોથી ભારતને અલગ-થલગ થતાં બચાવવા માટે મુસ્લમિ પરની હિંસા રોકવી જોઇએ.
ઇરાનની સુરક્ષા અને વિદેશ નીતિ સાથે જોડાયેલા નિર્ણયો લેનારા ખોમૈનીએ અંગ્રેજી, ઉર્દુ, ફારસી અને અરબ ભાષામાં ટવિટ કર્યું છે. આ સાથે એક બાળકનો ફોટો પણ પોસ્ટ કર્યો છે જે હાલમાં જ દિલ્હીમાં થયેલી હિંસામાં માર્યા ગયેલા એક વ્યક્તિના મૃતદેહને જોઇ રડી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે ઇરાકમાં એક અમેરિકન ડ્રોન હુમલામાં ઇરાનના ઉચ્ચ જનરલ કાસિમ સુલેમાનીના મોત બાદ અમેરિકાની સાથે ઇરાન સાથે વધતાં તણાવની વચ્ચે જરીફે જાન્યુઆરીમાં ભારતનો પ્રવાસ ખેડ્યો હતો. જ્યારે ઇરાન વિરુદ્ધ અમેરિકાના પ્રતિબંધોને નજરઅંદાજ કરતાં ભારતે તહેરાન સાથે સૌહાર્દપૂર્ણ સંબંધ કાયમ રાખ્યા છે.