ઘણી લોકો સાવરણી સાથે જોડાયેલી અમુક એવી ભૂલો કરી બેસે છે જેનાથી અમીર વ્યક્તિને પણ કંગાળ થતા વાર નથી લાગતી.
સાવરણીને આ રીતે ન રાખો
માતા લક્ષ્મી થઈ જશે નારાજ
આવી શકે છે મોટું આર્થિક સંકટ
સાવરણી સાથે જોડાયેલી અમુક ભૂલો અમીરથી અમીર વ્યક્તિને પણ કંગાળ કરી શકે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, જો ઘરમાં મુકવામાં આવેલી સાવરણી તૂટી જાય તો નવી ખરીદવા માટે અમુક વાતોને ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે.
ક્યારે લાવશો નવી સાવરણી?
નવી સાવરણી ખરીદવા માટે શનિવારનો દિવસ સૌથી વધારે શુભ માનવામાં આવે છે. આ દિવસે ઘરમાં નવી સાવરણી લાવવી ખૂબ જ શુભ મનાવામાં આવે છે.
શનિવારના દિવસે નવી સાવરણી લાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે અને ઘરના માલિક પર માતા લક્ષ્મીની હંમેશા કૃપા રહે છે.
આ દિવસે ન ખરીદો સાવરણી
વાસ્તુ અનુસાર નવી સાવરણી હંમેશા કૃષ્ણ પક્ષમાં જ ખરીદવી જોઈએ. શુક્લ પક્ષમાં નવી સાવરણી ખરીદવાથી અશુભ પરિણામ મળે છે.
આ જગ્યાઓ પર ન મુકો સાવરણી
વાસ્તુ અનુસાર સાવરણી ક્યારેય પણ ઈશાન કોણ એટલે કે ઉત્તર-પૂર્વ દિશામાં ન મુકો. તેનાથી ધનનું આગમન નહીં થાય. દક્ષિણ કે દક્ષિણ-પશ્ચિમ દિશામાં સાવરણી રાખવી શુભ માનવામાં આવે છે.
હંમેશા છુપાવીને રાખો સાવરણી
વાસ્તુ અનુસાર સાવરણીને હંમેશા છુપાવેને રાખવી જોઈએ. સાવરણીને ક્યારેય પણ એવા સ્થાન પર ન મુકવી જોઈએ જ્યાં આવતા જતા લોકોની તેના પર નજર પડે.
આ જગ્યા પર ન મુકો સાવરણી
બેડરૂમમાં સાવરણી ન મુકવી જોઈએ. તિજોરીની આસપાસ પણ સાવરણી ન મુકવી જોઈએ. કિચનમાં સવરણી ન મુકો કારણ કે તેનાથી ઘરમાં અન્નની કમી આવે છે. સૂર્યાસ્ત બાદ કચરો ન વાળવો જોઈએ. સૂર્યાસ્તની સાથે કચરો વાળવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થયા છે અને ધન આગમનના માર્ગ ખુલી જાય છે.