2 ઓગસ્ટે મુખ્યમંત્રી વિજય રૂપાણી 66માં વર્ષમાં પ્રવેશ કરશે, જો કે આ જન્મ દિવસની ઉજવણી નિમિત્તે રાજકોટમાં વિજય રૂપાણી વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઇને કરશે
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જન્મદિવસ
જન્મદિવસ નિમિત્તે રાજકોટમાં આપશે હાજરી
વજુભાઈ વાળાના પણ આશિર્વાદ લેવા જશે
2 ઓગસ્ટ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જન્મ દિવસ છે. 2 ઓગસ્ટે મુખ્યમંત્રી વિજય રૂપાણી 66માં વર્ષમાં પ્રવેશ કરશે. જો કે આ જન્મ દિવસની ઉજવણી વિજય રૂપાણી વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઇને કરશે. મુખ્યમંત્રી રૂપાણીના જન્મદિવસ નિમિત્તે કાર્યક્રમોની વાત કરીએ તો, સૌથી પહેલા તેઓ જન્મ દિવસ નિમિત્તે રાજકોટમાં ઉપસ્થિત રહેશે. જ્યાં તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. ત્યારબાદ સવારે 8.30 વાગ્યે વજુભાઇ વાળાના આશિર્વાદ લેવા જશે. સવારે 9.30 કલાકે RMCના વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજર રહેશે. તો સેવા સેતુ કાર્યક્રમમાં પણ હાજરી આપશે. ઉપરાંત 12.30 કલાકે અનાથ બાળકો સાથે ભોજન લેશે. ત્યારબાદ તેઓ બપોરે 2.00 કલાકે પુજીત રૂપાણી ટ્રસ્ટની મુલાકાત લેશે. જ્યારે સાંજે 5.00 કલાકે ભાજપ કાર્યલાયની મુલાકાત લેશે.
CM રૂપાણીને જન્મદિવસની શુભકામના
2 ઓગસ્ટે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જન્મ દિવસ
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી 66 વર્ષના થયા
2 ઓગસ્ટ 1956ના રોજ વિજય રૂપાણી જન્મ થયો હતો
જન્મ દિવસ નિમિત્તે CM રૂપાણી રાજકોટમાં રહેશે ઉપસ્થિત