અમદાવાદના પરોઢલ ગામે બે ખેડૂતોએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. ખેડૂતોની જમીન પર બિલ્ડરે કબ્જો કરી લીધો હતો. સાથેજ પોલીસે પણ તેમને સહકાર ન આપ્યો તેવું ખેડૂતોનુું કહેવું છે.
અમદાવાદમાં ખેડૂતોનો આપઘાતનો પ્રયાસ
ઝેરી દવા ગટગટાવીને કર્યો આપઘાતનો પ્રયાસ
બિલ્ડરે રૂપિયા આપ્યા વગર જમીન પચાવી પાડી
મેગાસીટી અમદાવાદમાં દિવસેને દિવસે વિકાસની સાથે સાથે ગુનાખોરી પણ વધતી જતી જોવા મળી રહી છે. ખાસ કરીને શહેરમાં વ્યાજખોરો તેમજ ભૂમાફિયાનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે વધુમાં શહરેના પરઢોલ ગામે વધુ એક ભૂ- માફિયાનો ત્રાસ સામે આવ્યો છે. જેના કારણે શહેરમાં ચકચાર મચી જવા પામી છે.
ઝેરી દવા ગટગટાવીને કર્યો આપઘાતનો પ્રયાસ
પરઢોલ ગામમાં બે ખેડૂતોએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. ભોગ બનનાર ખેડૂતોને બિલ્ડર ત્રાસ આપી રહ્યો હતો જેથી તેણે આપઘાતનો પ્રયાસ હોવાનું સામે આવ્યું છે. જેમા તે લોકોએ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
રૂપિયા આપ્યા વગર બિલ્ડરે જમીન પચાવી પાડી
ખેડૂતોનું કહેવું છે કે તેમને રૂપિયા આપ્યા વગરજ બિલ્ડરે તેમની જમીન પચાવી પાડી છે. સાથેજ તેણે એવું પણ કહ્યું કે સમગ્ર મામલે પોલીસે પણ તેમને સહકાર આપવાને બદલે તેમને ધમકી આપી હતી. એક નહિ પરંતુ બે ખેડૂતોએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. જેના કારણે આ મામલો હવે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
પોલીસ સામે કર્યા ગંભીર આક્ષેપ
ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે ખેડૂતોએ આત્મહત્યા કરવાનો પ્રયાસતો કર્યો પરંતુ સાથેજ તેમણે પોલીસ ઉપર પણ ગંભીર આક્ષેપો કર્યા છે. સાથેજ ખેડૂતોનું કહેવું એમ છે કે અમારી પાસે અમારી જમીન સિવાય બીજું કશું છે નહી જેથી જો જમીનજ જતી રહી તો અમે કરવાના પણ શું ?