બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
Malay
Last Updated: 08:11 AM, 15 February 2023
કેનેડામાં ફરી એકવાર હિન્દુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. આ વખતે મિસિસોગામાં રામ મંદિરની દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખવાનો મામલો સામે આવ્યો છે. જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જ્યારે આ મામલો ધ્યાન પર આવ્યો ત્યારે ટોરોન્ટોમાં ભારતીય દૂતાવાસે તેની નિંદા કરી છે. કેનેડાના અધિકારીઓને આ ઘટનાની તપાસ કરવા અને દોષિતો સામે પગલાં લેવા વિનંતી કરી છે.
We strongly condemn the defacing of Ram Mandir in Missisauga with anti-India graffiti. We have requested Canadian authorities to investigate the incident and take prompt action on perpetrators.
— IndiainToronto (@IndiainToronto) February 14, 2023
ભારતીય દૂતાવાસે કરી નિંદા
ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે મંગળવારે મિસિસોગામાં ભારત વિરોધી લખાણો (Anti-India-Graffiti)ની સાથે રામ મંદિરને બદનામ કરવાની નિંદા કરી. ભારતીય દૂતાવાસે કેનેડાના અધિકારીઓને આ ઘટનાની તપાસ કરવા અને ગુનેગારો સામે તાત્કાલિક પગલાં ભરવા વિનંતી કરી છે. ભારતના કોન્સ્યુલેટ જનરલે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી. આ પહેલીવાર નથી કે કેનેડામાં કોઈ હિન્દુ મંદિરને ભારત વિરોધી સૂત્રો અને તસવીરોથી બદનામ કરવામાં આવ્યું હોય. આ પહેલા જાન્યુઆરીમાં બ્રેમ્પટનમાં એક હિન્દુ મંદિર પર ભારત વિરોધી ચિત્રો દોરવામાં આવ્યા હતા, જેનાથી ભારતીય સમુદાયમાં આક્રોશ ફેલાયો હતો.
Canada: Consulate General of India condemns defacing of Ram Mandir in Mississauga
— ANI Digital (@ani_digital) February 14, 2023
Read @ANI Story | https://t.co/FcRti0ofnx#Canada #RamMandir #India #Mississauga pic.twitter.com/Nfkfg8CpX0
ગૌરી શંકર મંદિરમાં તોડફોડ
ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે ગૌરી શંકર મંદિરમાં તોડફોડની નિંદા કરતા કહ્યું હતું કે આવા કૃત્ય કેનેડામાં ભારતીય સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. વાણિજ્ય દૂતાવાસ કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'અમે બ્રેમ્પટનમાં ભારતીય વિરાસતના પ્રતિક ગૌરી શંકર મંદિરને ભારત વિરોધી સૂત્રો સાથે બદનામ કરવાની સખત નિંદા કરીએ છીએ. અમે કેનેડાના અધિકારીઓ સાથે આ બાબતે અમારી ચિંતા વ્યક્ત કરી છે.'
અધિકારીઓ કરી રહ્યા છે તપાસઃ મેયર પેટ્રિક બ્રાઉન
બ્રેમ્પટનના મેયર પેટ્રિક બ્રાઉને પણ તોડફોડની નિંદા કરી હતી અને કહ્યું હતું કે કેનેડાના અધિકારીઓ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે. પેટ્રિકે ટ્વીટ કર્યું હતું કે, 'આ ઘૃણાસ્પદ અને શરમજનક કૃત્યનું અમારા શહેર કે દેશમાં કોઈ સ્થાન નથી. મેં પીલ પ્રાદેશિક પોલીસ વડા નિશાન દુરૈયપ્પા સાથે આ જઘન્ય અપરાધ અંગે મારી ચિંતા વ્યક્ત કરી છે.'
I am saddened to hear of the hate motivated vandalism at the Ram Mandir Temple in Mississauga. Unknown suspects spray painted the walls on the back of the temple. This type of hate has no place in Peel Region.
— Patrick Brown (@patrickbrownont) February 15, 2023
સપ્ટેમ્બર 2022માં પણ થયો હતો હુમલો
બ્રેમ્પટનના મેયર પેટ્રિક બ્રાઉને જણાવ્યું હતું કે, 'દરેક વ્યક્તિ તેમના પૂજા સ્થાનમાં સલામતી અનુભવવાને પાત્ર છે.' અગાઉ સપ્ટેમ્બર 2022માં કેનેડામાં BAPS સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર 'કેનેડિયન ખાલિસ્તાની ઉગ્રવાદીઓ' દ્વારા ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news
લોકસભા ચૂંટણી 2024 / કેજરીવાલથી લઈને સિસોદિયા સુધી જેલમાં બંધ AAP નેતાઓ મતદાન કરી શકશે? કાયદો શું કહે છે
Aam Aadmi Party leader