ભાવનગરના પાલીતાણામાં વિદ્યાર્થિની પર હથિયારથી હુમલો થયો છે. એમ.એમ.કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિની પર હુમલો કરવામાં આવ્યો છે. સમીર નામના યુવકે વિદ્યાર્થિનીને ધારિયાના ઘા ઝીક્યા દીધા છે. જેમાં ઇજાગ્રસ્ત હાલતમાં વિદ્યાર્થિનીને હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ ઘટનાને લઇ રાજકીય આગેવાનો હોસ્પિટલ પહોંચ્યા છે.
પાલીતાણાના બજારમાં વિદ્યાર્થિની પર અજાણ્યા ઈસમ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં વિદ્યાર્થિનીને પગના ભાગે ઈજા પહોંચી હતી. જે બાદ વિદ્યાર્થિનીને માનસિંહજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. આ દરમિયાન હુમલાની જાણ થતા લોકોના ટોળા ઉમટ્યા હતા. જો કે, હુમલા પાછળનું કારણ શું છે. તેના માટે પોલીસે તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં દિકરીઓની સુરક્ષાનું શું?
મહત્વનું છે કે, રાજકોટના જેતલરસની સૃષ્ટિ રૈયાણીની હત્યાનો કેસ સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. જેતલસરમાં જયેશ સરવૈયા નામના યુવકે છરીના 28 ઘા મારીને સૃષ્ટિ નામની દિકરીની હત્યા કરી નાખી છે. આ ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં એક રોષ જાગ્યો છે. સાથે સૌ કોઈ સૃષ્ટિના હત્યારાને ફાંસીની સજા માટે માગણી કરી રહ્યા છે. તો તેના પિતાએ કહ્યું કે, જે જગ્યાએ મારી દિકરીની હત્યા થઈ તે સ્થળે જ તેને ફાંસી આપવી જોઈએ. .