મેઘરજ તાલુકાના લાલોડીયા ગામે જૂથ અથડામણની ઘટના સર્જાઈ, બે પરિવારો વચ્ચે જમીન મામલે જૂથ અથડામણ થઈ હોવાની માહિતી સામે આવી છે
અરવલ્લીમાં જૂથ અથડામણ
મેઘરજ તાલુકાના લાલોડીયા ગામે જૂથ અથડામણ
બે પરિવારો વચ્ચે જમીન મામલે જૂથ અથડામણ
અરવલ્લીમાં બે પરિવારો વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. જે બાદ 11 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. મેઘરજ તાલુકાના લાલોડીયા ગામે જૂથ અથડામણની ઘટના સર્જાઈ હતી. બે પરિવારો વચ્ચે જમીન મામલે જૂથ અથડામણ થઈ હોવાની માહિતી સામે આવી છે. અને તેમાં તીક્ષ્ણ હથિયારો સાથે બંને પરિવાર સામ-સામે આવ્યા હતા. પોલીસે એક સાથે 46 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. મેઘરજ પોલીસ મથકમાં સામ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. તમામ ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
મેઘરજ પોલીસની કામગીરીને લઈને પણ ઈજાગ્રસ્ત વ્યક્તિએ આક્ષેપ કર્યા છે. લાલોડિયા ગામે એક પરિવાર પર આશરે 40 લોકોના ટોળાએ હુમલો કર્યાનો આક્ષેપ છે. જે પરિવારના સદસ્ય પર હુમલો કરાયો તેમાંથી 7 લોકો હોસ્પિટલમાં દાખલ છે. જેમાંથી એક વ્યક્તિના માથે કુહાડીના ઘા મરાયા હોવાની વાત સામે આવી છે. જો કે, આ ટોળા વિરુદ્ધ હુમલા પહેલા જ ફરિયાદ નોંધાવવા માટે પીડિત પરિવારનો સદસ્ય ગયો હતો. પરંતુ પોલીસે દિવસભર બેસાડી રાખ્યો અને ફરિયાદ ન લીધી હોવાનો આક્ષેપ કર્યો છે.