`એક મૂર્ખને એવી ટેવ' નાટકના ડાયરેકટર સામે ફરિયાદ કરવામાં આવી છે. નાટકમાં જાતિવિષયક શબ્દપ્રયોગને કારણે ફરિયાદ કરવામાં આવી છે. લેખક, ડિરેક્ટર સહિત 6 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે.
`એક મૂર્ખને એવી ટેવ'નો વિવાદ
ડાયરેક્ટર, લેખક સહિત 6 સામે ફરિયાદ
જાતિવિષયક શબ્દ પ્રયોજવા મામલે ફરિયાદ
`એક મૂર્ખને એવી ટેવ' નાટક હાલ વિવાદોમાં સપડાયું છે. આ નાટકના ડાયરેક્ટર અને લેખક સામે ફરિયાદ નોંધાઈ છે.
કેમ થઈ ફરિયાદ
`એક મૂર્ખને એવી ટેવ' નાટકમાં જાતિવિષયક શબ્દ પ્રયોજવા મામલે ફરિયાદ કરવામાં આવી છે. અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
કોણે કરી ફરિયાદ
રજનીકાંત પરમાર નામના વ્યક્તિએ ફરિયાદ કરી છે. તેમનું કહેવું છે કે, નાટકમાં જાકિવિષયક અપશબ્દો રજૂ કરવામાં આવ્યા છે.
કોની કોની સામે નોંઘાઈ ફરિયાદ
ડાયરેકટર ભારત શ્રોફ સામે પણ ફરિયાદ થઈ છે. કલાકાર મુકેશ રાવલ, સતું રાજડા સામે પણ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. નાટકના કલાકાર સહિત 6 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે.