ડિજીટલ પેમેન્ટનો ઉપયોગ વધતા ATMનો ઉપયોગ ઘટી રહ્યો છે. મોબાઈલ વોલેટની સુવિધાઓ શરૂ થતાં ATMનું કામ મોબાઈલ કરી લે ત્યારે RBI આગામી 1 જાન્યુઆરીથી નવો નિયમ લાગૂ કરવા જઈ રહી છે.
ડિજીટલ પેમેન્ટના ઉપયોગ વચ્ચે મોટા સમાચાર
1 જાન્યુઆરી બાદ ATMના ચાર્જમાં થશે વધારો
5થી વધુ ટ્રાન્જેક્શન પર ચૂકવવા પડશે વધુ ચાર્જ
નવા વર્ષની પહેલી જાન્યુઆરીથી ATM નિયમોને લઈને મોટા બદલાવ થવા જઈ રહ્યા છે. ફ્રી ટ્રાન્જેક્શનની લિમિટ પાર થયાં બાદ જો તમે ATMમાંથી પૈસા ઉપાડશો તો અત્યારની તુલનામાં વધુ ચાર્જ ચૂકવવો પડશે. અત્યાર સુધી 20 રૂપિયા પ્લસ GST હતા, પરંતુ આગામી 1 જાન્યુઆરી 21 પ્લસ ટૅક્સ લાગૂ થશે. એટલે કે નાગરિકોએ હવે 25 રૂપિયા થોડું ઓછો ચાર્જ ચૂકવવાનો આવશે.
મફત વ્યવહાર મર્યાદા
ગ્રાહકોને તેમની બેંકોના એટીએમમાંથી પાંચ ફ્રી ટ્રાન્ઝેક્શન કરવાની છૂટ આપવામાં આવશે. આમાં નાણાકીય અને બિન-નાણાકીય વ્યવહારોનો સમાવેશ થશે. તેમને મેટ્રો કેન્દ્રોમાં અન્ય બેંકોના એટીએમમાંથી ત્રણ મફત વ્યવહારો અને નોન-મેટ્રો કેન્દ્રોમાં પાંચ વ્યવહારો કરવાની મંજૂરી આપવામાં આવી છે.
આ સિવાય સેન્ટ્રલ બેંકે પ્રતિ ટ્રાન્ઝેક્શનની ઈન્ટરચેન્જ ફી વધારવાની પણ છૂટ આપી છે. નાણાકીય વ્યવહારો માટે આ ફી 15 રૂપિયાથી વધારીને 17 રૂપિયા કરવામાં આવી છે. બિન-નાણાકીય વ્યવહારો માટે ઇન્ટરચેન્જ ફી 5 રૂપિયાથી વધારીને 6 રૂપિયા કરવામાં આવી છે. જે 1લી ઓગસ્ટ 2021થી લાગુ થશે.
7 વર્ષ બાદ નિયમો બદલાયા
જો તમે મેટ્રો શહેરમાં રહેતા હોય તો મહિને તમારી બેંક દ્વારા મિનિમમ 5 ATM ટ્રાન્જેક્શન ફ્રીમાં આપવામાં આવે છે. જેમાં 3 તમે અન્ય કોઈ બેંકમાંથી કરી શકો છો. જ્યારે જેનો મેટ્રો શહેરમાં સમાવેશ થતો નથી ત્યાંની બેંકો 5 ટ્રાન્જેક્શન ફ્રીમાં આપે છે. નોંધનીય છે કે, 7 વર્ષ બાદ ATM ટ્રાન્જેક્શનના શુલ્કમાં મોટા બદલાવ થવા જઈ રહ્યો છે. છેલ્લી વખત 2014માં રિઝર્વ બેંકે મેટ્રો શહેરમાં ફ્રી ટ્રાન્જેક્શનની સંખ્યા ઘટાડી હતી.
બેંકમાંથી કાર્ડ વગર પણ ઉપાડી શકો છો રોકડ
હવે તમે ડેબિટ કાર્ડ વગર પણ ATMમાંથી રોકડ ઉપાડી શકશો. પરંતુ તેના માટે તમારે ફક્ત તમારા ફોનની જરૂર છે, અને તમે તરત જ ATMમાંથી પૈસા ઉપાડી શકશો. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) YONO એપ દ્વારા ડેબિટ કાર્ડ વિના ATMમાંથી પૈસા ઉપાડવાની સુવિધા આપી રહી છે. પરંતુ આ સિવાય તમે આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ બેંકમાંથી પણ કાર્ડ વગર રોકડ ઉપાડી શકો છો, આ માટે તમારે તમારા ફોનમાંથી કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે. આનાથી તમે સરળતાથી પૈસા ઉપાડી શકશો.
ચેક પેમેન્ટ સિસ્ટમ
1 જાન્યુઆરીથી ચેક પેમેન્ટ સિસ્ટમ સાથેનો નિયમ બદલાઈ જશે. સકારાત્મક ભુગતાન વ્યવસ્થાના આધારે ચેકની મદદથી 50000 રૂપિયા કે તેનાનથી વધારે પેમેન્ટ માટે કેટલીક જાણકારીઓને ફરીથી કન્ફર્મ કરાશે. આ એકાઉન્ટ હોલ્ડર પર નક્કી કરાય છે કે આ સુવિધાનો લાભ લેવા તેઓ ઈચ્છે છે કે નહીં. ચેક જાહેર કરનારા વ્યક્તિએ જાણકારી એસએમએસ, મોબાઈલ એપ, ઈન્ટરનેટ બેંકિંગ કે એટીએમની મદદથી આપવાની રહેશે.
ફાસ્ટૈગ લગાવવાનું રહેશે જરૂરી
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ 1 જાન્યુઆરી 2021થી દરેક ફોર વ્હીલર પર ફાસ્ટૈગ અનિવાર્ય કર્યુ છે. તેના વિાન કોઈ પણ નેશનલ હાઈવે ટોલ પાર કરનારા વાહન ચાલકોને બમણો ચાર્જ આપવાનો રહેશે. હાલમાં દરેક ટોલ પ્લાઝજા પર 80 ટકા લાઈનો ફાસ્ટૈગ અને 20 ટકા લાઈનો કૈશમાં કામ કરી રહી છે.
લેન્ડલાઈનથી મોબાઈલ પર કોલ કરવા માટે લગાવવાનો રહેશે શૂન્ય
જ્યારે તમે 1 જાન્યુઆરીથી લેન્ડલાઈન ફોનથી કોઈ પણ મોબાઈલ પર ફોન લગાવશો તો તમારે તેની આગળ શૂન્ય લગાવવાનું રહેશે. આ સિવાય તમે કોલ કરી શકશો નહીં.
મ્યુચ્યુઅલ ફંડના રોકાણના બદલાશે નિયમો
SEBIએ મલ્ટીકેપ મ્યુચ્યુઅલ ફંડના માટે એસેટ એલોકેશનના નિયમોમાં ફેરફાર કર્યો છે. આ નિયમોના અનુસાર હવે ફંડ્સનો 75 ટકા ભાગ ઈક્વિટીમાં રોકવો જરૂરી છે. જે હાલમાં ન્યૂનતમ 65 ટકા છે. નવા નિયમો અનુસાર મલ્ટી કેપ ફંડ્સ સ્ટ્રક્ચરમાં ફેરફાર આવશે, ફંડને મિડકેપ અને સ્મોલકેપમાં 25-25 ટકા રોકાણ કરાશે. 25 ટકા લાર્જ કેપમાં રોકાશે.
UPI પેમેન્ટમાં થશે ફેરફાર
1 જાન્યુઆરી 2021થી UPIની મદદથી પેમેન્ટ કરવાનું મોંઘુ બનશે. થર્ડ પાર્ટીની તરફથી ચલાવવામાં આવી રહેલા એપ્સ પર એકસ્ટ્રા ચાર્જ લગાવવાની જાહેરાત કરાઈ છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની તરફથી આ નિર્ણય લેવાયો છે.