કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને દેશમાં લોકડાઉનની ઘોષણા થયાના તરત બાદ નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે 24 માર્ચે કહ્યું હતું કે, 3 મહિના માટે એટીએમ ચાર્જિસ હટાવવામાં આવી રહ્યા છે. નાણાં પ્રધાનની આ ઘોષણા પછી, એટીએમ કાર્ડધારકોને સુવિધા મળી કે તેઓ કોઈપણ બેંકના એટીએમમાંથી રોકડ ઉપાડી શકે છે. આ હેઠળ, તેમને વધારાના ટ્રાન્ઝેક્શન માટે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. આ છૂટ ફક્ત એપ્રિલ, મે અને જૂન મહિના માટે હતી. હવે આ છૂટની ડેડલાઈન પૂરી થઈ રહી હોવાથી નાણા મંત્રાલય અથવા બેંકો દ્વારા તેને ચાલુ રાખવાની કોઈ માહિતી મળી નથી.
એટીએમ યુઝર્સ માટે મહત્વપૂર્ણ સમાચાર
30 જૂનથી કેશ નીકાળવાના નિયમમાં થશે આ ફેરફાર
OTP દ્વારા કેશ નિકાળવાની સુવિધા મળશે
આ ઘોષણા સાથે નાણાં પ્રધાને ત્રણ મહિના સુધી બેંક બચત ખાતામાં સરેરાશ લઘુત્તમ બેલેન્સ રાખવાની લિમિટને દૂર કરવાની પણ જાહેરાત કરી હતી. જોકે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ 11 માર્ચે તેના ગ્રાહકો માટે લઘુત્તમ બેલેન્સની છૂટને ખતમ કરી દીધી હતી. નાણાં પ્રધાને વધુમાં જાહેરાત કરી કે ડિજિટલ ટ્રેડ ટ્રાન્ઝેક્શનને પણ ઘટાડવામાં આવી રહ્યો છે. આ દરમિયાન, નાણાં રાજ્યમંત્રી અનુરાગ સિંહ ઠાકુરે કહ્યું હતું કે, આ નિર્ણય એટલે લેવામાં આવ્યો છે કે ઓછામાં ઓછાં લોકો રોકડ ઉપાડવા માટે બેંક શાખાઓમાં જાય.
એસબીઆઈ ન્યૂનતમ બેલેન્સ ચાર્જ નહીં લે
દેશની સૌથી મોટી બેંકે 11 માર્ચે એક નિવેદન બહાર પાડી કહ્યું, એસબીઆઈના તમામ 44.51 કરોડ બચત બેંક ખાતાઓ પર સરેરાશ લઘુત્તમ બેલેન્સ નહીં રાખવા પર કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. અગાઉ મેટ્રો શહેરોમાં એસબીઆઈ બચત ખાતામાં ઓછામાં ઓછા 3,000 રૂપિયા રાખવાનું ફરજિયાત હતું. એ જ રીતે સેમી અર્બન અને ગ્રામીણ વિસ્તારો માટે આ રકમ અનુક્રમે 2000 અને 1000 રૂપિયા હતી. અગાઉ ન્યૂનતમ બેલેન્સ ન હોવા પર એસબીઆઈ ગ્રાહકો પાસેથી 5-15 રૂપિયા પ્લસ ટેક્સ લેતી હતી.
શું છે એટીએમ ટ્રાન્ઝેક્શન લિમિટથી જોડાયેલો નિયમ
સામાન્ય રીતે કોઈપણ બેંક મહિનામાં 5 વાર ફ્રી ટ્રાન્ઝેક્શનની સુવિધા આપે છે. અન્ય બેંકોના એટીએમ માટે આ મર્યાદા ફક્ત 3 વારની જ હોય છે. આ મર્યાદા કરતા વધારે એટીએમ ટ્રાન્ઝેક્શન કરવા માટે, બેન્કો ગ્રાહકો પાસેથી 8 થી 20 રૂપિયા વધારે ચાર્જ વસૂલે છે. આ ચાર્જ ગ્રાહક કેટલી રકમની લેણદેણ કરે છે તેના પર પણ આધાર રાખે છે.