પૂર્વ પ્રધાનમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અટલ બિહારી વાજપેયીની આજે 95મી જયંતિ છે.આ અવસરે પીએમ નરેન્દ્ર મોદીએ લખનઉમાં અટલ બિહારી વાજપેયીની 25 ફૂટ ઉંચી મૂર્તિનું અનાવરણ કર્યું. બુધવારે સવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પીએમ મોદી સહિત દિગ્ગજોએ અટલ સ્મારક પહોંચીને પૂર્વ પીએમને શ્રદ્ધાંજલિ આપી.
PM મોદીએ કરી યોગી સરકારની પ્રશંસા
કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે દેશમાં સુશાસન દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ દિવસે યુપીનું શાસન જ્યાંથી ચાલે છે ત્યાં અટલજીની મૂર્તિનું અનાવરણ થયું છે. અટલ મેડિકલ યૂનિવર્સિટીનો પણ શિલાન્યાસ થયો છે. જ્યારે અટલજી અહીંથી સાંસદ હતા, તો તેઓએ વિકાસ કામ કરાવ્યું, લખનઉને નવી ઓળખ અપાવી.
Lucknow: Prime Minister Narendra Modi pays tribute to former PM Atal Bihari Vajpayee at Lok Bhawan. UP Governor Anandiben Patel, Defence Minister Rajnath Singh and UP CM Yogi Adityanath also present . pic.twitter.com/xeTKlh7z0H
પીએમ મોદીએ કહ્યું કે સાંસદ તરીકે રાજનાથ જી આજે અટલ બિહારી વાજપેયીની વિરાસતને સંભાળી રહ્યા છે. સુશાસન જ્યાં સુધી સંભવ નથી, ત્યાં સુધી સમસ્યાઓને ઉકેલવાનો પ્રયાસ કરીશું. યોગીજીની સરકાર સમગ્રના વિચારને સાકાર કરવાનો પ્રયાસ કરી રહી છે.