ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના 16માં દિવસની પ્રશ્નોતરીની શરૂઆતમાં જ કોંગ્રેસે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતાં.
ગૃહમાં ધર્મ પરિવર્તનની અરજીનો મુદ્દો ઉછળ્યો
માંડવીના ધારસભ્યે ખેલમહાકુંભનો મુદ્દો ઉઠાવ્યો હતો
નેનો પ્લાન્ટને લઈને વિધાનસભા ગૃહમાં ચર્ચા
અમદાવાદ શહેરમાં છેલ્લા બે વર્ષમાં ધર્મ પરિવર્તન માટે 350 અરજી કરાઈ હતી.
પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસ ધારાસભ્ય જ્ઞાસુદ્દીન શેખે પૂછેલા પ્રશ્નોનો સરકારે જવાબ રજૂ કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેરમાં ધર્મ પરિવર્તનની 350 અરજી થઈ તેમજ જિલ્લામાં ધર્મ પરિવર્તનની 40 અરજી થઈ હતી. જેમાંથી વહીવટી તંત્ર દ્વારા હજી એક પણ અરજી મંજૂર નથી કરી. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં વર્ષ 2020માં ધર્મ પરિવર્તનની 94 અરજી થઈ હતી. જ્યારે વર્ષ 2021માં ધર્મ પરિવર્તનની 256 અરજી કરવામાં આવી હતી. આ સાથે જિલ્લામાં 2020માં 28 અરજી થઈ હતી. જ્યારે વર્ષ 2021માં 12 અરજી કરવામાં આવી
કેવડિયામાં બે વર્ષમાં 8 લાખથી વધુ પ્રવાસીઓ આવ્યા
વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી કાળ દરમિયાન વિપક્ષ દ્વારા કેવડિયા જંગલ સફારીની આવક માહિતી આપતાં સરકારે જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષથી કેવડિયા જંગલ સફારી પ્રવાસીઓ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર છે. છેલ્લા બે વર્ષમાં 8 લાખ 37 હજાર 478 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. 2 વર્ષમાં કેવડિયા જંગલ સફારી થકી સરકારને રૂપિયા 15.73 કરોડની આવક થઈ હતી
બજેટ સત્રમાં માંડવીના ધારસભ્યે ખેલમહાકુંભનો મુદ્દો ઉઠાવ્યો હતો
પ્રશ્નોત્તરી કાળ દરમિયાન આનંદ ચૌધરી દ્વારા રમતગમત મંત્રીને સવાલ કરાયો હતો કે પ્રાથમિક શાળામાં વ્યાયામ શિક્ષક નથી. વ્યાયામ કોલેજો પણ બંધ થઈ ગઈ છે. રમત ગમત, કલા, સંગીત સહિતની પ્રવૃત્તિ બંધ થઈ છે. રમવાના મેદાન નથી, શિક્ષક નથી, તો કેવી રીતે બાળક આગળ વધશે. ખેલ મહાકુંભના નામે કરોડો રૂપિયાનો ખર્ચે કરવામાં આવે છે. પણ જરૂરી સુવિધા પૂરી પડાતી નથી.
ગૃહમાં ગોકુલધામની જમીન વિકાસ પરવાનગીમાં ગેરરીતિનો પ્રશ્ન ઉઠ્યો
બજેટ સત્રના પ્રશ્નોતરી કાળ દરમિયા માણસાના ધારાસભ્ય સુરેશ પટેલે રાજ્ય સરકારને સાણંદના સનાથલમાં ગોકુલધામની જમીન વિકાસ પરવાનગીમાં ગેરરીતિ અંગે પ્રશ્નો પુછ્યા હતાં. જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે,સાણંદના સનાથલમાં ગોકુલધામની જમીન વિકાસ પરવાનગીમાં ગેરરીતિની થયું હોવનું સ્વીકાર્યું હતું. તેમણે જણાવ્યું કે, આ ગેરરીતિની તપાસ માટે સરકારે સમિતિની રચના કરી હતી. પરંતુ કોરોનાને લીધે તપાસ સમિતિ નિયત સમયે રિપોર્ટ સબમિટ કરી શકાય નથી.
સરકારી સંસ્થાઓ પાસેથી મહાત્મા મંદિરનું ભાડુ બાકી
વિધાનસભા ગૃહમાં સરકારે જણાવ્યું કે, વિવિધ સરકારી સંસ્થાઓ પાસેથી છેલ્લા બે વર્ષથી મહાત્મા મંદિરનું રૂપિયા 2.47 કરોડ રૂપિયાનું ભાડુ બાકી છે. તેમજ બિન સરકારી સંસ્થાઓ પાસેથી 69.87 લાખ રકમ વસૂલવાની બાકી છે.
નેનો પ્લાન્ટને લઈને વિધાનસભા ગૃહમાં ચર્ચા
પ્રશ્નોતરી કાળ દરમિયાન કોંગ્રેસ MLA શૈલેષ પરમારે નેનો પ્રોજેકટ અંગે માહિતી માંગી હતી જેમાં સરકારે જવાબ આપતાં જણાવ્યું હતું કે, જેના જવાબમાં રાજ્ય સરકારના ઉદ્યોગમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 2 લાખ 60 હજાર નેનો કારનું ઉત્પાદન થયું છે. સાથે સરકારે એમ પણ કહ્યું કે પ્રથમ ફેઝમાં 2લાખ 50 હજાર નેનો કાર ઉત્પાદન કરવાનું લક્ષ્યાંક હતું જ્યારે બીજા ફેઝમાં 3 લાખ 50 હજાર નેનો ઉત્પાદન કરવાનું લક્ષ્યાંક હતું આ બાબતે હાલની સ્થિતિ અંગે માહિતી માંગી હતી. તેમણે જણાવ્યું કે, નેનો કેમ્પસમાં 7000 લોકોને રોજગારી મળે છે. નેનો પ્લાન્ટની વાર્ષિક 2.50 લાખ ઉત્પાદન ક્ષમતા છે અને અત્યાર સુધીમાં 2 લાખ 60 હજાર નેનો કારનું ઉત્પાદન થયું છે.