ભારતના ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ હાલમાં જ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે એક સમયે માતાની સામે તેઓ રોતા હતા.
ચેતેશ્વર પૂજારાએ કર્યો ખુલાસો
માતા સામે રોતો હતો ખેલાડી
દબાવમાં રમવા માટે તૈયાર નહોતા
હાલમાં જ તેણે કહ્યું કે તે નકારાત્મક વિચારોને દુર કરવા માટે ધ્યાન અને આધ્યાત્મિક ગુરુઓની સલાહ લે છે.
પુજારાએ યુટ્યુબ પર કહ્યું કે, ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સફળતાની ચાવી દબાવને સહન કરવુ છે. એક વાર નકારાત્મક વિચારવા પર બધુ જ નકારાત્મક લાગવા લાગે છે. હું ધ્યાન અને યોગનો સહારો લઉ છું અને રોજ પ્રાર્થના કરુ છુ જેનાથી મારા વિચારો સકારાત્મક બની રહે.
ખેલાડીએ વધુમાં કહ્યું કે, એક સમય એવો પણ હતો જ્યારે મને લાગતુ હતુ કે આ દબાવ હું નહી સહન કરી શકું. યુવાવસ્થામાં મારી માતા સામે જઇને રડતો હતો અને કહેતો હતો કે હું આ દબાવમાં ક્રિકેટ નહી રમી શકુ પરંતુ હવે હું દબાવ સહન કરી લઉ છું.
પુજારાની માતાનું નિધન ત્યારે થયુ હતુ જ્યારે તે 17 વર્ષનો હતો. તે બાદથી જ તે આધ્યાત્મિક ગુરુની સલાહ લે છે.
પૂજારાની ઇમેજ ટેસ્ટ ક્રિકેટર તરીકે રહી છે પરંતુ આ વખતે ચેન્નઇ સુપર કિંગ્સે તેની બેઝ પ્રાઇઝ 50 લાખ રૂપિયામાં તેને ખરીદ્યો હતો. હજુ સુધી પૂજારાને મેદાન પર ઉતરવાનો મોકો મળ્યો નથી. 33 વર્ષના પૂજારાએે છેલ્લે 2014માં આઇપીએલ રમી હતી ત્યારે તે કિંગ્ઝ ઇલેવન પંજાબનો હિસ્સો હતો.
ચેતેશ્વર પૂજારા હાલ ટેસ્ટ રેકિંગમાં 14મા સ્થાન પર છે. તેમણે 2010માં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કર્યુ હતુ. અત્યાર સુધી 85 ટેસ્ટ મેચમાં 46.59ની ઔસતથી તેમણે 6244 રન બનાવ્યા હતા. તેણે 18 શતક અને 29 અર્ધશતક બનાવ્યા હતા.