અર્થશાસ્ત્રના મહાન જ્ઞાની ચાણક્યએ મનુષ્ય જીવનને સુખમય બનાવવા માટે નીતિ શાસ્ત્રની રચના કરી હતી. તેમની નીતિ અનુસાર કેટલાય રાજાઓએ પોતાનું રાજ્ય ચલાવ્યુ હતુ. ચાણક્ય નીતિ દરેક ધર્મ અને વર્ગ માટે હિતકારી માનવામાં આવી છે. નીતિ શાસ્ત્ર અનુસાર મનુષ્ય જો ત્રણ વાતનું જો ધ્યાન રાખે તો તેના ઘરમાં સદાય લક્ષ્મીનો વાસ રહેશે.
ચાણક્ય પ્રમાણે આ રીતે રહો ખુશ
ચાણક્યનીતિમાં આપેલા છે રહસ્યો
સન્માન માત્ર જ્ઞાનીઓનું જ થાય છે
અર્થશાસ્ત્રના મહાન જ્ઞાની ચાણક્યએ મનુષ્ય જીવનને સુખમય અને ખુશનુમા બનાવવા માટે નીતિ શાસ્ત્રની રચના કરી હતી. ચાણક્ય નીતિના ત્રીજા અધ્યાયના 21મા શ્લોકમાં ચાણક્ય કહે છે કે, જ્યાં મુરખાઓની પૂજા નથી થતી, જ્યાં અન્ન-ધાન્ય વિપુલ માત્રામાં સંચિત રહે છે, જ્યાં પતિ-પત્ની લડાઇ નથી કરતા ત્યાં લક્ષ્મી વગર બોલાવે આવી જાય છે.
તેમના કહેવાનો અર્થ છે કે, મનુષ્યોએ મુરખાઓની પૂજા ન કરવી જોઇએ, તેમને વધારે મહત્વ પણ ન આપવું જોઇએ. સન્માન માત્ર જ્ઞાનીઓનું જ થાય છે. વાત પણ તેમની જ માનવામાં આવે છે. જ્યાં મુરખા લોકોની પૂજા નથી થતી ત્યાં લક્ષ્મીનો વાસ થાય છે.
આચાર્ય કહે છે કે જે ઘરમાં અનાજના ભંડાર ભર્યા રહે છે, લોકો ભૂખ્યા નથી મરતા, અન્નનો બગાડ નથી થતો અને પતિ-પત્ની વચ્ચે ઝઘડા નથી થતા ત્યાં લક્ષ્મીજી સ્વયં આવી જાય છે.