પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નિર્માતા અસિત કુમાર મોદી અને ક્રૂના 2 સભ્યો પર શારીરક શોષણના આરોપો છે. જોકે નિર્માતાએ આ આરોપોને નકારી કાઢ્યા છે.
શો ના નિર્માતા અસિત કુમાર મોદીએ આ આરોપોને નકારી કાઢ્યા
અસિત કુમાર મોદી અને ક્રૂના 2 સભ્યો વિરુદ્ધ ફરિયાદ
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ટીવી પરનો સૌથી લોકપ્રિય શો રહ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી આ શો વિવાદોમાં ઘેરાયેલો છે. શોમાં તારક મહેતાનું પાત્ર ભજવનાર શૈલેષ લોઢા અને નિર્માતા અસિત કુમાર મોદી વચ્ચેનો મામલો હજુ ઠંડો પડયો ન હતો કે જેનિફર મિસ્ત્રી બંસીવાલે તેમના પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. આ શોમાં જેનિફર એટલે કે મિસીસ રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવી રહી હતી. તેણે આ વર્ષે માર્ચમાં શો છોડી દીધો હતો. સોશિયલ મીડિયા પર એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે જે કથિત રીતે જેનિફરની છે. આમાં તેણે યૌન શોષણની વાત કરી છે.
નિર્માતાએ આ આરોપોને નકારી કાઢ્યા
જણાવી દઈએ કે મામલો સામે આવ્યા બાદ મુંબઈ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. એક અહેવાલ મુજબ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નિર્માતા અસિત કુમાર મોદી અને ક્રૂના 2 સભ્યો પર શારીરક શોષણના આરોપો છે. જોકે નિર્માતાએ આ આરોપોને નકારી કાઢ્યા છે. તેનું કહેવું છે કે લોકો તેને બદનામ કરી રહ્યા છે. હાલ ફરિયાદમાં નામ આપવામાં આવેલા લોકોના નિવેદન નોંધ્યા બાદ એફઆઈઆર નોંધવામાં આવશે.'
અસિત કુમાર મોદી અને ક્રૂના 2 સભ્યો વિરુદ્ધ ફરિયાદ
મહત્વનું છે કે મુંબઈ પોલીસને અભિનેત્રી તરફથી ઈમેલ દ્વારા લેખિત ફરિયાદ મળી છે. આ ફરિયાદમાં નિર્માતા અને ક્રૂના 2 સભ્યો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. અભિનેત્રીએ તેના પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે.
Actress from Taarak Mehta Ka Ooltah Chashmah has filed a written complaint against a producer alleging sexual harassment. According to her complaint, producer Asit Modi and some crew members sexually harassed her. However, an FIR has yet to be registered. We have started an…
જેનિફરે લેખિત ફરિયાદ દ્વારા ન્યાયની માંગણી કરી
આ વિશે વાત કરતાં પોલીસ અધિકારીએ કહ્યું કે, '8 મેના રોજ પોલીસને રાષ્ટ્રીય મહિલા આયોગ તરફથી લેખિત ફરિયાદ મળી હતી. અભિનેત્રીએ આ લેખિત ફરિયાદ દ્વારા ન્યાયની માંગણી કરી છે. જેનિફરે દાવો કર્યો હતો કે નિર્માતાએ વર્ષોથી ઘણી વખત તેની સાથે શારીરિક શોષણ કર્યું છે.'
જેનિફર મિસ્ત્રીને સતાવતો હતો આ વાતનો ડર
જેનિફર મિસ્ત્રી બંસીવાલે કહ્યું કે શરૂઆતમાં તેને ડર હતો કે શો મેકર્સ તેના અગાઉના પૈસા રોકી લેશે. પતિ દ્વારા પ્રોત્સાહિત થતાં તેણે શો છોડવાનો નિર્ણય કર્યો. જેનિફરે કહ્યું કે શોના કારણે તે તેની દીકરીને 2 કલાક પણ આપી શકી નથી. જેનિફરના આ ખુલાસાથી દરેક લોકો ચોંકી ગયા છે.
We will take legal action as she is trying to defame me and the show both, since we terminated her services, she is making these baseless allegations: Asit Kumar Modi, on sexual harassment allegations levied by actress of Taarak Mehta Ka Ooltah Chashmah
જેનિફર મિસ્ત્રી બંસીવાલ જે TMKOCમાં છેલ્લા 14 વર્ષથી મિસિસ રોશન સોઢીનું પાત્ર ભજવી રહી છે, તેણે પ્રોડ્યૂસર અસિત મોદી, પ્રોજેક્ટ હેડ અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યૂસર સાથે શારીરિક શોષણ કરવાનો આરોપ લગાવતા ખળભળાટ મચી ગયો હતો. અભિનેત્રીએ એવો આક્ષેપ કર્યો કે અસિતે તેને ઘણી વખત સેક્સ્યુઅલ હેરેઝમેન્ટ કરી હતી. પરંતુ કામ જવાના ડરને પગલે શરૂઆતમાં વસ્તુઓની અવગણના કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો.