ભારતની સાથે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં એક વાર ફરી તણાવ બાદ ચીનની નવી ચાલ સામે આવી છે. અને જ્યા પીએલએ ભારતીય સીમામાં ઘૂસણખોરી કરી રહ્યા છે ત્યારે ચીની વિદેશ મંત્રી વાંગ યી શાંતિની વાત કરી રહ્યા છે. ચીની વિદેશ મંત્રીએ એક નિવેદનમાં કહ્યું છે કે તેમનો દેશ નથી ઈચ્છતો કે ભારતીય સીમા પર તણાવ વધે. ઉલ્લેખનીય છે કે 28-29 ઓગસ્ટે ચીની સેનાએ એક વાર ફરી ભારતીય સીમામાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ ત્યાં તૈનાત સેનાએ તેમને જડબાતોડ જવાબ આપતા તેમને પાછા ખદેડી દીધા છે.
ફાંસના પ્રવાસ દરમિયાન વાંગે એક ભાષણ આપ્યુ
વાંગે ભાષણમાં ચીન ભારતના સંબંધો વિશે સવાલોના જવાબ આપ્યા છે
વાંગે કહ્યું કે ચીન સારો પડોશી અને દોસ્તીની નીતિ અપનાવનારો છે
યીના જણાવ્યાનુંસાર ચીન અને ભારતની વચ્ચે સીમાનું હજુ સુધી સીમાંકન કરવામાં આવ્યું નથી. એટલા માટે સમસ્યા છે. ચીન મજબૂતીથી પોતાના સંપ્રભૂતા અને ક્ષેત્રીય અખંડતાની રક્ષા કરશે અને ભારત સાથે વાતચીતથી તમામ પ્રકારના મુદ્દાને ઉકેલવા તૈયાર છે. ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સે વાંગ યી ના નિવેદનને પ્રકાશિત કરતા લખ્યુ છે કે ચીન હંમેશાથી ચીન-ભારત સીમા પર સ્થિરતા બનાવી રાખવા માટે પ્રતિબદ્ધ રહ્યુ છે અને સ્થિતિને જટિલ અથવા આગળ ન વધારવા ઈચ્છુક છે.
ફાંસના પ્રવાસ દરમિયાન વાંગે ફેન્ચ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ટરનેશનલ રિલેશન્સના એક ભાષણ આપ્યુ અને ચીન ભારતના સંબંધો વિશે સવાલોના જવાબ આપ્યા છે. વાંગે કહ્યું કે ચીન અને ભારતની સાથે વાતચીતથી તમામ પ્રકારોના મુદ્દા ઉકેલવા તૈયાર છે.
વાંગે કહ્યું કે ચીન સારો પડોશી અને દોસ્તીની નીતિ અપનાવનારો છે. અમે અમારા પડોશીની સાથે દિર્ઘકાલીક સ્થિરતા અને મિત્રતામાં કહેવાની આશા રાખીએ છીએ. આ જોતા ચીનની પાસે કોઈ પણ દેશ કરતા વધારે પડોશી છે અને તેમનો લાંબો ઈતિહાસ છે. એક્સચેંજોએ હંમેશા એક અથવા બીજા પ્રકારની સમસ્યાનું પરિણામ આપ્યુ છે.
વાંગે કહ્યું કે દોસ્તી અને ભાગીદારીના નિર્માણની ભાવનામાં દોસ્તાના સલાહના માધ્યમથી ઈતિહાસથી બચેલા મુદ્દાઓને ઉકેલવા માટે ચીન પોતાના પડોશી સાથે કામ કરવા માટે તૈયાર છે.
ચીન અને ભારતની વચ્ચે સીમાનું હજુ સુધી સીમાંકન કરવામાં આવ્યું નથી. એટલા માટે સમસ્યા છે. તેમણે કહ્યું કે, ચીન પોતાની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાની રક્ષા કરશે અને અમે ભારતની સાથે વાતચીતથી તમામ પ્રકારના મુદ્દાઓને ઉકેલવા માટે તૈયાર છીએ.