ક્રિકેટમાં મેદાન પર ઝઘડાઓ હવે સામાન્ય બની ગયા છે પણ જ્યારે સિનિયર ખેલાડીઓ આવી તકરારમાં સામેલ થાય ત્યારે ચાહકોને નવાઈ લગતી હોય છે.
અશ્વિન અને ઇયન મોર્ગન વચ્ચે તકરાર
આઈપીએલમાં ગઈકાલે કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચેની મેચ દરમિયાન રવિચંદ્રન અશ્વિન અને ઇયન મોર્ગન વચ્ચે તકરાર થઈ હતી.
જેના પગલે કોલકાતા નાઈટ રાઈડર્સના સિનિયર ખેલાડી દિનેશ કાર્તિકે કહ્યું હતું કે તે હવે બંને ખેલાડીઓ વચ્ચે મામલો શાંત પાડવામાં મહત્વની ભૂમિકા નિભાવ્યા બાદ આ બાબતથી ખુશ છે.
મંગળવારે નાઈટ રાઈડર્સ અને દિલ્હી વચ્ચે લો સ્કોરિંગ મેચ થઈ હતી અને કોલકાતા નાઈટ રાઇડર્સે દિલ્હી કેપિટલ્સને ત્રણ વિકેટથી હરાવી દીધી હતી. નાઈટ રાઈડર્સ ધીમે ધીમે પોઈન્ટ ટેબલમાં પણ આગળ જઈ રહ્યા છે.
મેચ દરમિયાન જ્યારે કોલકાતાના ફિલ્ડર રાહુલ ત્રિપાઠીએ થ્રો કર્યો હતો અને બોલ દિલ્હીના કેપ્ટન રિષભ પંત સાથે ટકરાઈને દૂર ગયો હતો અને અશ્વિને વધુ એક રન દોડવાનો પ્રયાસ કર્યો હતો.
કેપ્ટન દિનેશ કાર્તિકે ખુલાસો કર્યો હતો કે કેપ્ટન ઈયોન મોર્ગનને લાગ્યું હતું કે આ સ્પોર્ટ્સમેં સ્પિરિટ નથી અને ટીમ સાઉથીના બોલ પર જ્યારે અશ્વિન આઉટ થયો ત્યારે તેણે અશ્વિન સાથે વાત કરી હતી. મેદાનથી બહાર જઈ રહેલ અશ્વિન ત્યાર બાદ રોકાયો હતો અને તેણે નાઈટ રાઈડર્સના કેપ્ટનને જોયો હતો પણ બાદમાં કાર્તિકે બંને વચ્ચે પડીને તમિલનાડુ ટીમના પોતાના સાથી ખેલાડી અશ્વિનને સમજાવ્યો હતો અને મેદાન છોડવા કહ્યું હતું.
કેપ્ટન દિનેશ કાર્તિકે ખુલાસો કર્યો હતો કે હાલ તો હું એટલું જ કહેવા માગું છું કે મણે આનંદ છે કે આખરે મામલો શાંત થઈ ગયો અને તેમાં મારો રોલ કામ આવ્યો આખરે બધુ ઠીક થયું એ જ ઇમ્પોર્ટન્ટ છે.
મેદાન પર તકરાર મામલે અશ્વિન કુખ્યાત
ભારતીય સિનિયર ખેલાડી રવિચંદ્રન અશ્વિન મેદાન પર તેના અગ્રેશન માટે કુખ્યાત છે. અગાઉ પણ તે ઘણા ખેલાડીઓ સાથે આ રીતે વિવાદ કરી ચૂક્યો છે ત્યારે હવે મોર્ગન જેવા ખેલાડી સાથે તેની ફાઇટ થતાં ચાહકોએ સોશ્યલ મીડિયા પર એમ પણ કહ્યું હતું કે આ તો કંઈ શેરી ક્રિકેટ થોડું છે. સ્પોર્ટ્સમેન સ્પિરિટથી ખેલાડીઓએ જતું કરવું જોઈએ. કોઈએ કોમેન્ટ કરી હતી કે અશ્વિન કારણ વિના દરેક વખતે હીરો બનવા જાય છે. પણ આખરે આ તકરાર બાદ પોતાનો વારો આવતા બોલિંગ દરમિયાન મોર્ગનને અશ્વિને જ ઝીરો પર આઉટ કરીને પેવેલિયન ભેગો કરી દીધો હતો.
દિલ્હીના કેપ્ટન ઋષભ પંતે આ મામલે વધારે મહત્વ ન આપતા કહ્યું હતું કે આ બધુ રમતનો હિસ્સો છે અને મણે લાગે છે કે બંને ટીમ જીતવાનો પ્રયાસ કરી રહી હતી. માટે આવું કઇંક થાય એ શક્ય છે. જે પણ રમત માટે સારું જ છે આનાથી જીતવાની રસાકસી વધે છે. આ ઉપરાંત તેણે કહ્યું હતું કે પૃથ્વી શૉ ઓલમોસ્ટ 80 % ફિટ છે અને નેક્સ્ટ મેચમાં સંભવત: રમી શકે છે.