આશા પારેખે ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલા કેસરી બિકીનીના હંગામા પર પણ વાત કરતાં જણાવ્યું હતું કે, 'આ હંગામો કે વિરોધ બિકીની પર નથી થયો પણ 'કેસરી' રંગની બિકીની છે.
'પઠાણ' ફિલ્મના ગીત 'બેશર્મ રંગ' પર હજુ થઈ રહ્યો છે વિવાદ
આ ચર્ચા પર આશા પારેખે પણ તેના મંતવ્યો જણાવ્યા
લોકોનું મગજ કામ કરતું બંધ થઈ ગયું કે શું?
દીપિકા-શાહરુખના અભિનિત વાળી પઠાણ ફિલ્મ રિલિઝ થાય એ પહેલા પઠાણનું પહેલું ગીત બેશર્મ રંગ રિલિઝ કરાયું હતું જેણે સોશિયલ મીડિયા પર તહેલકો મચાવ્યો છે. બોલિવૂડ બાદશાહની ફિલ્મ 'પઠાણ'ની દરેક લોકો આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. ચાર વર્ષ બાદ કિંગ ખાન એક મોટી ફિલ્મ સાથે મોટા પડદા પર કમબેક કરી રહ્યા છે અને કિંગ ખાનના ચાહકોને આ ફિલ્મથી ઘણી આશાઓ છે. આ અપેક્ષાઓ વચ્ચે 'પઠાણ'નું પહેલું ગીત 'બેશર્મ રંગ' રિલીઝ થતાની સાથે જ વિવાદોમાં આવી ગયું હતું અને હજુ પણ એ વિવાદ ચાલી રહ્યો છે.
ગીતમાં દીપિકા પાદુકોણની કેસરી રંગની બિકીનીમાં આ વિવાદ શરૂ થયો હતો અને ભગવા રંગ માટે એ વિવાદ એટલો વધી ગયો કે શાહરૂખ ખાનથી લઈને દીપિકા પાદુકોણને જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી રહી છે. એવામાં કેસરી રંગ પરની આ ચર્ચા પર પીઢ અભિનેત્રી આશા પારેખે પણ તેના મંતવ્યો જણાવતા કહ્યું હતું કે લોકો વિચારસરણી ખૂબ જ નાની થઈ રહી છે.
લોકોનું મગજ કામ કરતું બંધ થઈ ગયું કે શું?
આશા પારેખને આ વર્ષે દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એ વિશે વાતચીત કરતાં દરમિયાન આશા પારેખે ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહેલા કેસરી બિકીનીના હંગામા પર પણ વાત કરતાં જણાવ્યું હતું કે, 'આ હંગામો કે વિરોધ બિકીની પર નથી થયો પણ 'કેસરી' રંગની બિકીની પર સવાલો ઉઠી રહ્યા છે. લોકોનું મગજ કામ કરતું બંધ થઈ ગયું હોય એવું લાગે છે. ફિલ્મને એક ફિલ્મ તરીકે લેવી જોઈએ. ફિલ્મનો હેતુ ફક્ત મનોરંજન કરવાનો હોય છે.
લોકોને આપ્યો ઠપકો
આશા પારેખે એ વાતચીતમાં આગળ કહ્યું હતું કે જો કોઈએ કેસરી રંગના કોઈ કપડાં પહેરી લીધા કે ફિલ્મનું નામ કઇંક રાખી દીધું તો શું તેના પર પ્રતિબંધ મૂકીશું કે તેને બેં કરી દઇશું? આ બધું બિલકુલ સારું નથી, લોકોની આવી જ વિચારસરણીને કારણે આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રી મરી રહી છે. અત્યારે સ્થિતિ ઘણી ખરાબ છે બોલીવુડની ફિલ્મો નથી ચાલી રહી. આવી સ્થિતિમાં તેને બૉયકોટ અને બેન જેવા મુદ્દાઓથી ઘણું નુકસાન થઈ રહ્યું છે.
બૉલીવુડ ઇન્ડસ્ટ્રી બંધ થઈ જશે
આ સાથે જ આશા પારેખે લોકોને સંકેત આપ્યો કે આવી જ પરિસ્થિતિ રહી તો આ ઇન્ડસ્ટ્રી બંધ થઈ જશે. 'એક તો કોરોના પછી લોકો થિયેટરોમાં નથી જતાં આવી સ્થિતિમાં જો ફિલ્મો ફ્લોપ થતી રહેશે તો નિર્માતાઓ નવી ફિલ્મો બનાવવાની હિંમત કેવી રીતે એકત્ર કરી શકશે.'આશા પારેખે વર્તમાન વાતાવરણને ખોટું ગણાવ્યું હતું.