14 ફેબ્રુઆરીના જમ્મૂ-કાશ્મીરના પુલવામા થયેલા આંતકી હુમલાના કારણે 40 જવાનોએ જીવ ગુમાવ્યા છે શહીદનો દરેક પરિવાર સાથે દેશવાસીઓ સાથ આપી રહ્યા છે. બીજી તરફ આ ઘટનાનો જડબાતોડ જવાબ આપવા માટે આખા દેશની પ્રજા આક્રોશ ઠાલવી રહી છે ત્યારે બોલિવુડના ફેમસ સિંગર આશા ભોંસલે પણ જવાનોને શ્રદ્ઘાંજલિ આપી છે.
આશા ભોંસલેએ આ ઘટના પર કહ્યુ કે ''આ ઘટના ખૂબ જ નિંદનીય છે. અમારી સેનાના જવાનોને કારણે આજે આપણે સુરક્ષિત છીએ. હું પોતે તો કંઇ જ નથી કરી શકતી. પરંતુ જો હું યુવાન હોત તો મિલિટ્રીમાં ચોક્કસથી જાત.'' આ સિવાય આશાજીએ દુખના સમયમાં જવાનોના પરિવારની સાથે ઉભા રહેવાની અપીલ કરી છે. આશાજી જ નહીં પરંતુ આ આતંકી હુમલાને લઇને અન્ય બોલિવુડ સ્ટાર્સ પણ ગુસ્સામાં છે અને સોશ્યલ મીડિયા પર પોતાનો રોષ વ્યકત કરી રહ્યા છે.
સોનૂ નિમગે કર્યો વીડિયો પોસ્ટ:
આ વીડિયોમાં સિંગરે કહ્યુ કે ''સાંભળ્યુ છે તમે લોકો ખૂબ વિરોધ કરી રહ્યા છો દુખ વ્યકત કરી રહ્યા છે કેમકે કેટલાક CRPFના જવાનો મરી ગયા છે કેટલાક 44 લોકો હતા 44 લોકો હોય કે પછી 440 લોકો તમે કેમ દુખ વ્યકત કરી રહ્યા છો તેમાં દુખી થવાની શું વાત છે. તમે તે જ કરો જે દેશમાં સાચ્ચુ છે. જે સેક્યુલર લોકો કરે છે. આ વાતો પર દુખ વ્યકત કરવાનું ભાજપ RSS હિંદુત્વવાદી રાષ્ટ્રવાદી સંસ્થા પર છોડી દો તે કરો જે સેક્યુલર લોકો કરી રહ્યા છે.''
આ પછી સોનૂ નિગમ વીડિયોમાં કહે છે કે ''भारत तेरे टुकड़े होंगे.. अफजल हम शर्मिंदा हैं'' ''બોલો. તેણે કહ્યુ કે ''જો ભારતમાં રહેવુ છે તો આ રીતની સેક્યુલર વિચાર હોવો જોઇએ. અહીંયા વંદે માતરમ કહેવુ ખોટું છે. CRPF જવાનોની મોત પર દુખના વ્યકત કરો નમસ્તે ના બોલો અને લાલ સલામ બોલો'' સોનૂ નિગમનો આ કટાક્ષ બોલિવુડના સેલિબ્રેટિઝ ઉપર છે જે તમામ મુદ્દા પર માનવાધિકારની વાત કરે છે.