ભારતે અવકાશમાં ASATનું પરિક્ષણ કરતા ચીન અને પાકિસ્તાન ફફડી ઉઠ્યાં હતા. બંનેએ દુનિયાભરમાં આ મામલે કાગારોળ મચાવી હતી. પરંતુ અમેરિકાએ આ મામલે ભારતનો ખુલ્લેઆમ બચાવ કર્યો છે.
અમેરિકાએ ભારતનો પક્ષ લીધો છે અને ભારતે અવકાશમાં ઉભા થયેલા પડકારોને ધ્યાનમાં રાખીને એન્ટિસેટેલાઈટ પરિક્ષણ કર્યું હોવાનો મત વ્યકત કર્યો છે.
27 માર્ચે ભારતે લો ઓર્બિટમાં મિસાઈલે એક લાઈવ સેટેલાઈટને તોડી પાડી અવકાશની દુનિયામાં ઈતિહાસ રચ્યો હતો. અમેરિકા, રશિયા, ચીન બાદ આ પરિક્ષણ કરનારો દુનિયાનો ચોથો દેશ બની ગયો હતો. અમેરિકી સેનેટર ટિમ કેને સવાલ કર્યો કે, ભારતે ગત મહિને જાહેરાત કરી કે તેણે એન્ટિ સેટેલાઈટ મિસાઈલ સિસ્ટમનું પરિક્ષણ કર્યું છે. લો ઓર્બિટમાં ભારતે એક સેટેલાઈટ તોડી પાડ્યો હતો. જેના કારણે અવકાશમાં 400 ટુકડાનો કચરો ભેગો થયો હતો. આ કચરામાં 24 ટુકડા ઈન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન માટે ગંભીર ખતરો પેદા કરી રહ્યાં હોવાની વાત સામે આવી હતી.
જોકે ભૂતકાળમાં પણ ચીનને લઈને આ પ્રકારનો મામલો સામે આવી ચુક્યા હતા. ચીને જ્યારે 2007માં આ પ્રકારનું પરિક્ષણ કર્યું જેનાથી 10,000 ટુકડાનો કચરો અવકાશમાં સર્જાયો હતો. જેમાંથી મોટા ભાગના ટુકડાઓ આજે પણ ખતરારૂપ છે.
આ મામલે ચીન અને પાકિસ્તાન દ્વારા ભારત પર આરોપો કર્યા હતા અને બાદમાં અમેરિકા ભારતની પડખે આવ્યું છે. ચીન અને પાકિસ્તાનને જવાબ આપતા અમેરિકીના અધિકારીએ કહ્યું કે, ભારત અવકાશમાં પોતાના પરના ભાવી ખતરાને લઈને ચિંતિત હતું. માટે અવકાશમાં પોતાને સુરક્ષિત રાખવાની ક્ષમતા પ્રદર્શિત કરી છે.