દુષ્કર્મ મામલાના આરોપમાં જોધપુર જેલમાં બંધ આસારામ કેસમાં જોધપુરી SC ST કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવી શકે છે. આ ચુકાદાના પગલે આસારામના સમર્થકો મોટી સંખ્યામાં જોધપુર પહોંચે તેવી આશંકા સેવાઈ રહી છે.
આ અંગે જિલ્લામાં આગામી 30 એપ્રિલ સુધી કલમ 144 લાગુ કરી દેવાઈ છે. નિર્ણય જોધપુરની સેન્ટ્રલ જેલમાં જ સંભળાવવામાં આવશે જ્યાં આસારામ જેલની સજા કાપી રહ્યો છે.
ચુકાદાનો દિવસ નજીક આવતો જોઈ રાજસ્થાન પોલીસે રાજસ્થાન હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે કે 25 એપ્રિલે આસારામ પર ચુકાદો આપવામાં આવે તો તેને જેલની અંદર રાખવામાં આવે.
જોધપુર પોલીસને ડર સતાવી રહ્યો છે કે આસારામને ચુકાદાના દિવેસે જો કોર્ટમાં લઈ જવાયા તો પંચકૂલાની જેમ અહીં પણ હિંસા ભડકી શકે છે. જેથી જેલમાં જ ચૂકાદો આપવામાં આવે એવી રજૂઆત હાઈકોર્ટને કરવામાં આવી હતી છે અને કોર્ટે પણ પોલીસની આ અરજીનો સ્વીકાર કર્યો છે.
આ ઉપરાંત જિલ્લા અને તેની આસપાસ આવેલી હોટલો અને ધર્મશાળાઓને પણ આદેશ આપવામાં આવી શકે છે કે આરોપી આસારામના કોઈ પણ સમર્થકોને જોધપુરમાં આસરો ના આપે અને પોલીસ માહોલ ના બગડે તે માટે જોધપુરમાં આસારામના તમામ આશ્રમો પણ ખાલી કરી દેવામાં આવ્યા છે.