એઆઈએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા અંગેના અમેરિકાના અહેવાલને ટાંકીને નરેન્દ્ર મોદી સરકાર પર જોરદાર શાબ્દિક પ્રહાર કર્યા હતા.
ઓવૈસીના સરકાર પર પ્રહાર
ટ્રમ્પને ગળે મળવાનું પ્રધાનમંત્રી મોદીને કાઇ કામ ન આવ્યું
ઓવૈસીએ કહ્યું છે કે લાગે છે કે, અમેરિક રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ગળે મળવાનું પ્રધાનમંત્રી મોદીને કામ ન આવ્યું, માટે ધાર્મિક સ્વતંત્રતાના પાયદાન પર અમેરિકન સંસ્થા યૂનાઇટેડ સ્ટે્ટસ કમીશન ઓન ઇન્ટરનેશનલ રિલીઝિયસ ફ્રિડમ (USCIRF)એ ભારતને પાકિસ્તાન, ઉત્તર કોરિયા અને સીરિયાની હરોળમાં યથાવત રાખ્યું.
ઓવૈસીએ ટ્વીટ કરી સરકાર પર સાધ્યું નિશાન
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું છે કે USCIRFએ ભારત સામે પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે. ઓવૈસીએ ટ્વીટ કર્યું, "PMO દ્વારા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનું આયોજન કર્યા છતાં USCIRFના રિપોર્ટમાં ભારતને બર્મા, પાકિસ્તાન, ઉત્તર કોરિયા અને સીરિયાની બરોબરીમાં જ રાખવામાં આવ્યું છે. USCIRFએ અન્ય ઉપાયો સિવાય ભારત પર પ્રતિબંધ લાદવાની ભલામણ કરી છે. તેથી સ્પષ્ટ થાય છે કે, ગળે મળવાનું કાઇ કામ આવ્યું નહીં, હોઇ શકે છે કે, આગામી સમયમાં તમે કાંઇક અલગ ડિપ્લોમેસી બતાવો.
Despite @PMOIndia hosting #NamasteTrump, the USCIRF report puts India in august company of Burma, Pakistan, North Korea & SYRIA. USCIRF has recommended SANCTIONS against India, among other measures. Clearly all that hugging did not help. Maybe next you could try actual diplomacy? https://t.co/JN80h3x0KUpic.twitter.com/PFou7JMABm