જમ્મૂ-કાશ્મીર પરિવારે કરેલા દાવા બાદ શોપિયામાં માર્યા ગયેલા 'આતંકીઓ'ના એન્કાઉન્ટરની તપાસ સેના કરશે. જમ્મૂ-કાશ્મીરના શોપિયામાં જુલાઇ મહીનામાં એક એન્કાઉન્ટર થયું હતું. આ એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યાં હતા. જો કે હવે એક પરિવારે જણાવ્યું છે કે જે વિસ્તારમાં આ એન્કાઉન્ટર થયું, તે વિસ્તારમાં એક પરિવારના ત્રણ સભ્યો ગુમ થઇ ગયા હતા. પરિવારના આ દાવા પછી આર્મીએ નિર્ણય કર્યો છે કે આ કેસમાં તપાસ કરવામાં આવશે.
જમ્મૂ-કશ્મીરના શોપિયાંમાં થયેલા એન્કાઉન્ટર પર ઉઠ્યા સવાલ
જ્યાં એન્કાઉન્ટર થયું ત્યાંથી પરિવારના 3 લોકો ગુમ થયાનો દાવો
પરિવારના દાવાને લઇ સેના કરશે તપાસ
સેનાના અધિકારીઓએ જણાવ્યું કે 18 જુલાઇ 2020ના એન્કાઉન્ટર બાદ સોશિયલ મીડિય પર ઓપરેશન સાથે જોડાયેલા જે પણ ઇનપુટ હતા, તેની નોંધ કરવામાં આવી છે અને તેના પર ધ્યાન આપવામાં આવશે. એક અહેવાલ મુજબ એન્કાઉન્ટરમાં જે ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા તેની ઓળખ થઇ નહોતી અને નક્કી કરાયેલા પ્રોટોકોલ મુજબ તેમની દફનવિધી કરી દેવામાં આવી હતી.
જમ્મૂ-કાશ્મીરના શોપિયામાં જુલાઇ મહિનામાં થયેલા એક એન્કાઉન્ટરમાં સેનાએ 3 આતંકીઓને ઠાર કર્યા હતા. ત્યારે હવે એક પરિવારે દાવો કર્યો છે કે જે વિસ્તારમાં આ એન્કાઉન્ટર થયું હતું. તે વિસ્તારમાં તેમના પરિવારના 3 લોકો ગુમ થઇ ગયા હતા. જેને લઇ હવે આર્મીએ આ મામલા તપાસ કરવાનો નિર્ણય લીધો છે.
રાજૌરી જિલ્લાના 3 શ્રમિકોના પરિવારે પોલીસમાં ફરિયાદ કરી છે કે 18, 21 અને 26 વર્ષના ત્રણ યુવક ગુમ છે. 17 જુલાઇએ તેઓએ કહ્યું હતું કે તેઓ શોપિયા પહોંચી ગયા છે. ત્યારે પરિવારને આશંકા છે કે એન્કાઉન્ટર અને ગુમ ત્રણ યુવકો વચ્ચે કોઇ સંબંધ હોઇ શકે છે.
એક અધિકારીના કહેવા મુજબ 18 જુલાઇએ એન્કાઉન્ટર બાદ સોશિયલ મીડિયા પર ઓપરેશનને લગતા પણ ઇનપુટ્સ હતા. જેને નોટ કરી તેમાં ધ્યાન અપાશે. એન્કાઉન્ટરમાં જે ત્રણ આતંકીઓને ઠાર કરાયા હતા તેમની ઓળખ નહોતી થઇ અને નક્કી પ્રોટોકોલ મુજબ તેમને દફનાવી દેવામાં આવ્યા હતા.