પોરબંદરના ગોસાબારાના 100 જેટલા માછીમાર પરિવારોની રોઝીરોટી છીનવાઈ જતાં તેઓએ સરકાર સમક્ષ ઈચ્છામૃત્યુની માંગ કરી છે
પોરબંદરમાં માછીમારોની સામુહિક ઇચ્છા મૃત્યુની માગ
100 પરિવારોની રોઝીરોટી છીનવાતા નિર્ણય
કર્લી જળાશય અને આસપાસ ફિશિંગ નહીં કરવા આદેશ
પોરબંદરના ગોસાબારા ખાતે ચોંકાવનારા અહેવાલ સામે આવી રહ્યાં છે. જેમાં 100 જેટલા માછીમાર પરિવારોએ ગુજરાત સરકાર પાસે પોતાની રોઝીરોટી છીનવાઈ જતાં સામૂહિક આપઘાતની માંગ કરી છે.
પોરબંદરના ગોસાબારાના માછીમારોએ સામુહિક ઇચ્છા મૃત્યુની માંગ કરી
પોરબંદરના જિલ્લા કલેકટરે કર્લી જળાશય અને આસપાસમાં હોડી મારફતે ફિશિંગ નહીં કરવાના આદેશ આપ્યાં છે. જેને લઈને પોરબંદરના ગોસાબારના 100 જેટલા માછીમાર પરિવારોની રોઝીરોટી છીનવાઈ ગઈ છે. જેને લઈને માછીમાર પરિવારોએ ગુજરાત સરકાર સમક્ષ સામૂહિક આપઘાત કરવા માટે મંજૂરી માંગી છે.
આ સાથે ફિશરીઝ વિભાગ દ્રારા લાઇસન્સ રીન્યુ કરવાની પણ માંગ કરી
મહત્વનું છે કે, 100 પરિવારોએ જિલ્લા કલેક્ટરને અરજી આપીને પોતાની આજીવીકા આપવાની માંગ કરી છે. જો 15 દિવસમાં સમસ્યાનો ઉકેલ ન આવે તો 100 પરિવારના 600 લોકોને આપઘાત કરવાની સરકાર મંજૂરી આપે તેવો પણ આવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે ફિશરીઝ વિભાગ દ્રારા લાઇસન્સ રીન્યુ કરવાની પણ માંગ કરવામાં આવી છે.
ગાંધીનગરના 31 માલધારીઓએ માંગ્યું ઈચ્છા મૃત્યુ
ઉલ્લેખનીય છે કે, વિધાનસભામાં તાજેતરમાં રખડતા ઢોર અંગે એક વિધેયક પસાર કરવામાં આવ્યું છે. જેને લઈનને માલધારી સમાજમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે.ગાંધીનગરના ગોકુળપુરાના 31 માલધારીઓએ કલેકટર સમક્ષ વિરોધ વ્યક્ત કરીને એક લેખિત અરજીમાં ઈચ્છા મૃત્યુની માંગ કરી હતી, તેઓએ કલકેટર સમક્ષ રખડતા ઢોર માટેનું વિધેયક લાગુ ન કરવા રજૂઆત કરી હતી. અને ઢોરો માટે સરકાર અલાયદી વ્યવસ્થા કરે તેવી માંગણીઓ ઉચ્ચારવામાં આવી હતી.