અરવિંદ કેજરીવાલે સમગ્ર મામલે રાજ્યના મુખ્યમંત્રી સાથે વાતચીત કર્યા બાદ ટ્વિટ કરીને જાણકારી આપતા કહ્યું કે મેં વિજય રૂપાણી સાથે વાત કરી છે.
જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના નેતાઓ પર હુમલો
અરવિંદ કેજરીવાલે સીએમ રૂપાણી સાથે કરી વાત
વિપક્ષ પર આ પ્રકારે હુમલાઓ કરીને ડરાવશો નહીં : કેજરીવાલ
ગુજરાતમાં કોઈ સુરક્ષિત નથી : કેજરીવાલ
જૂનાગઢની ઘટના મામલે અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું કે જો ઈસુદાન અને મહેશભાઈ પર હુમલા થઈ રહ્યા હોય તો ગુજરાતમાં કોઈ સુરક્ષિત નથી. આ હિંસા તમારી હાર છે. લોકોને સારી સુવિધા આપીને તેમના દિલ જીતવાના કામ કરો, વિપક્ષ પર આ પ્રકારે હુમલાઓ કરીને ડરાવશો નહીં.
Urged him to file FIR, arrest the culprits, ensure strong action against culprits and ensure protection of AAP leaders and workers. https://t.co/BoZ8QDdthu
વિજય રૂપાણી સાથે વાત કરી : કેજરીવાલ
તે બાદ અરવિંદ કેજરીવાલે સમગ્ર મામલે રાજ્યના મુખ્યમંત્રી સાથે વાતચીત કર્યા બાદ ટ્વિટ કરીને જાણકારી આપતા કહ્યું કે મેં વિજય રૂપાણી સાથે વાત કરી છે. તેમને FIR દાખલ કરી ગુનેગારો સામે કાર્યવાહી કરવા કહ્યું છે. આ સાથે જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની રક્ષા સુનિશ્ચિત કરવા કહ્યું છે.
अगर इशुदान और महेश भाई जैसे लोगों पर गुजरात में खुलेआम हमला हो रहा है तो तो गुजरात में कोई सुरक्षित नहीं है
ये हिंसा आपकी बौखलाहट है, आपकी हार है
लोगों को अच्छी सहूलियतें देकर उनका दिल जीतिए, विपक्ष पर हमले कराकर उन्हें डराइए मत। ये लोग डरने वाले नहीं। https://t.co/HcSZ25PzHd
ગુજરાત બિહાર બની ગયું, મોટી જાનહાનિ થઈ શકતી હતી : ઈસુદાન ગઢવી
ઘટના બાદ AAP નેતા ઈસુદાન ગઢવીએ VTV સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ''આ ગુજરાત હવે બિહાર બની રહ્યું છે. જનસંવેદના યાત્રા દરમિયાન કરી રહ્યા હતા અને વીસથી પચીસ લોકો અચાનક તૂટી પડ્યા અને લોખંડની પાઈપોથી હુમલા કરવામાં આવ્યા છે. ખુરશીઓની નીચે છુપાઈને અમે લોકોએ જીવ બચાવ્યો છે અને અહિયાં મોટી જાનહાનિ પણ થઈ શકતી હતી. અમે આમારા કાર્યકર્તાઓને લોહીલુહાણ જોયા છે.''
ભાજપ પ્રેરિત હુમલા છે : ઈસુદાન ગઢવી
ઈસુદાન ગઢવીએ વધુમાં કહ્યું કે ''કાર્યકર્તાઓને હોસ્પિટલમાં લઈ જવો પડ્યો છે. કાયદો અને વ્યવસ્થાની ખૂબ જ ગંભીર સ્થિતિ ગુજરાતમાં છે. ભાજપ પ્રેરિત ગુંડાઓએ જે રીતે હુમલા કર્યા છે તે બાદ પરિસ્થિતિ ગંભીર છે અને અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવ્યા છે.''
अगर इशुदान और महेश भाई जैसे लोगों पर गुजरात में खुलेआम हमला हो रहा है तो तो गुजरात में कोई सुरक्षित नहीं है
ये हिंसा आपकी बौखलाहट है, आपकी हार है
लोगों को अच्छी सहूलियतें देकर उनका दिल जीतिए, विपक्ष पर हमले कराकर उन्हें डराइए मत। ये लोग डरने वाले नहीं। https://t.co/HcSZ25PzHd
મહેશભાઈ કારમાં નીચે છુપાઈ ગયા હતા : ઈસુદાન ગઢવી
ઈસુદાન ગઢવીએ કહ્યું કે વિજયભાઈ આ વ્યવસ્થાને નહીં સંભાળી શકે. આજે માંડ માંડ જીવ બચાવ્યો છે અને મહેશભાઇ સવાણી પણ કારમાં નીચે છુપાઈ ગયા હતા અને માંડ માંડ જીવ બચાવવામાં આવ્યો છે.
શું છે આખી ઘટના
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી દ્વારા મોટા પાયે યાત્રા કરવામાં આવી રહી છે, જે હેઠળ જન સંવેદના યાત્રા અત્યારે હાલમાં જુનાગઢમાં પહોંચી હતી ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા નેતાઓ પર ભયંકર હુમલો કરવામાં આવ્યો હતો. જુનાગઢના વિસાવદરના લેરિયા ગામની આ ઘટના હોવાનું સામે આવ્યું છે. જે સમયે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે કારની અંદર ઈસુદાન ગઢવી, મહેશ સવાણી અને પ્રવીણ રામ ઉપસ્થિત હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે એક ટોળું આ કાફલા પર તૂટી પડે છે અને તે બાદ કાર્યકર્તા સાથે મારામારીની સાથે સાથે ગાડીઓના કાચ પણ તૂટેલા જોઈ શકાય છે.