ગુજરાતની બધી જ મનપામાં ભગવો લહેરાયો છે પરંતુ સુરતમાં આમ આદમી પાર્ટીએ ધમાકેદાર એન્ટ્રી મારી છે ત્યારે અરવિંદ કેજરીવાલે વીડિયો જાહેર કર્યો છે.
26 ફેબ્રુઆરીએ લેશે સુરતની મુલાકાત
સુરતવાસીઓનો માન્યો આભાર
AAPને સુરતમાં મળી છે 27 બેઠક
ગુજરાતમાં હવે ઈમાનદાર રાજનીતિ-કેજરીવાલ
AAPને સુરતમાં મળી છે 27 બેઠક
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે બધી જ મનપામાં જીત હાંસલ કરી છે અને સૌથી ચોંકાવનારું પરિણામ સુરતમાં આવ્યું છે. સુરતમાં આમ આદમી પાર્ટી હવે બીજા નંબરની પાર્ટી બની ગઈ છે અને કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. સુરતમાં આમ આદમી પાર્ટીના જોરદાર પ્રદર્શનને લઈને અરવિંદ કેજરીવાલ ખુશ છે.
AAP wins 27 seats in Surat Municipal Corporation in it's debut.
🔹AAP : 27
🔸BJP : 93
▪️INC : 0
Thank you Gujarat for reposing your faith in Kejriwal's brand of Honest Politics.
સુરતમાં આમ આદમી પાર્ટીએ 27 સીટો પર જીત મેળવી છે અને મુખ્ય વિપક્ષી પાર્ટી બનીને સામે આવી છે. અહિયાં કોંગ્રેસનું ક્યાંય ખાતું પણ ખૂલી ન શક્યું. જે બાદ અરવિંદ કેજરીવાલ 26મી ફેબ્રુઆરીએ સુરત આવી રહ્યા છે જ્યાં એક મોટો રોડ શો કરવામાં આવશે.
આમ આદમી પાર્ટીના ગુજરાત યુનિટના તમામ કાર્યકરોની મહેનતને સલામ અને બધાને હાર્દિક અભિનંદન. સુરતના મતદાતાઓએ પણ વ્યક્ત કર્યું છે કે હવે ભવિષ્યમાં સમગ્ર ગુજરાત કર્મના રાજકારણને આવકારવા તૈયાર છે. pic.twitter.com/YyYNrb2nxz
અમારા દરેક ઉમેદવાર પોતાની જવાબદારી નિભાવશે- કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે કહ્યું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ શાનદાર પ્રદર્શન કર્યું છે. હું ગુજરાતના લોકોને હૃદયથી ધન્યવાદ કહેવાય માંગુ છું. ખાસ કરીને સુરતના લોકોનો આભાર. સુરતમાં 125 વર્ષ જૂની પાર્ટીને હરાવીને એક નવી પાર્ટીને મુખ્ય વિપક્ષી પાર્ટી સ્વરૂપે જવાંબદારી મળી છે.
26 ફેબ્રુઆરીએ સુરતની મુલાકાત લેશે અરવિંદ કેજરીવાલ
તેમણે કહ્યું કે હું તમને વિશ્વાસ અપાવું છું કે અમારો દરેક ઉમેદવાર ઈમાનદારીથી પોતાનો જવાબદારીનું વહન કરશે. ગુજરાતમાં એક નવા રાજકારણની શરૂઆત થઈ ગઈ છે, ઈમાનદાર રાજનીતિ જે છે સારા સ્કૂલ, હોસ્પિટલ અને સસ્તી વીજળીની રાજનીતિ. હું 26મી ફેબ્રુઆરીએ સુરત આવી રહ્યો છું, તમારા બધાનો આભાર માનવા માટે,સુરતમાં મળીએ છે.