પૂર્વ નાણામંત્રી અરુણ જેટલી (Arun Jaitley)ના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે. ત્યારબાદ 2.00 વાગ્યે તેમની અંતિમ યાત્રા નિગમ બોધ ઘાટ જવા શરૂ થશે અને સાંજે 4.00 વાગ્યે તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
અહીં જાણો, અરુણ જેટલી (Arun Jaitley)ની જિંદગી સાથે જોડાયેલી 10 મોટી વાત
1 1974માં દિલ્હી યૂનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. 1975માં ઇમરજન્સી દરમિયાન ધરપકડ થઇ હતી.
2 1977માં એબીવીપીના ઓલ ઇન્ડિયા સેક્રેટરી અને દિલ્હી એબીવીપીના અધ્યક્ષ નિયુક્ત થયા. ત્યારબાદ જેટલીએ વકાલત શરૂ કરી હતી.
3 1980માં અરુણ જેટલી બીજેપીના સભ્ય બન્યા.
4 1982માં જેટલીના લગ્ન સંગીતા સાથે થયા અને 1983માં એમના ઘરે પુત્રીનો જન્મ થયો. તેમની પુત્રી પણ વકીલ છે. 1989માં અરુણ જેટલીના પુત્રનો જન્મ થયો. એમનું નામ રોહન જેટલી છે.
5 1990માં એમણે ભારતના એડિશનલ સોલિસિટર જનરલ બનાવાયા હતા અને બોફોર્સ મામલો સોંપાયો હતો. 1991માં અરુણ જેટલી બીજેપીની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય બન્યા.
6 1998માં જેટલીને યૂએન મહાસભા માટે ભારતીય પ્રતિનિધિમંડળમાં સામેલ કરાયા હતા. 1999માં વાજપેયી સરકારમાં જેટલીને સૂચના અને પ્રસારણ મંત્રી (સ્વતંત્ર પ્રભાર) બનાવાયા હતા.
7 2000માં અરુણ જેટલીને કાનૂન, ન્યાય અને કંપની મામલાના કેબિનેટ મંત્રી અને રાજ્યસભાના સાંસદ પણ બનાવાયા હતા. 2006માં જેટલી બીજીવાર રાજ્યસભા માટે ચૂંટાયા.
8 2009માં જેટલીએ રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકે જવાબદારી સંભાળી અને વકાલત બંધ કરી દીધી. 2012માં જેટલીને ત્રીજીવાર રાજ્યસભા માટે ચૂંટવામાં આવ્યા.
9 2014માં જેટલીને મોદી સરકારમાં નાણા, કોર્પોરેટ અફેયર્સ અને રક્ષા મંત્રી બનાવાય હતા.
10 2018માં જેટલીનું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું. 24 ઓગસ્ટ 2019ના દિવસે અરુણ જેટલીનું દિલ્હીના એમ્સમાં નિધન થઇ ગયું.